જયપુરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ, 2 ભાઈઓ સહિત 8નાં મોત:દાઝ્યા પછી રોડ પર તરફડતા રહ્યા; દિલ્હીનો યુવક ચલાવતો હતો ગેરકાયદે ફેક્ટરી
9 hours ago
જયપુરના ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલા ફટાકડાના ગોદામમાં મંગળવારે સવારે 11 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં એક બાળક અને બે સગા ભાઈઓ સહિત કુલ આઠ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ફટાકડાનું ગોદામ આયશા નગર તલાઈ વિસ્તારમાં ITI કોલેજ પાસે આવેલું હતું. મૃતકોમાં અબ્દુલ વાહિદ (50), રાબિલ, બિલાલ ખાન (30), સમીર (20), આઝીમ ખાન (18) ઉર્ફે આબિદ અને નાસિર ખાનનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 2 મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતક આઝીમ અને બિલાલ સગા ભાઈઓ હતા. બિલાલ આજે તેના નાના ભાઈ આઝીમની ફેક્ટરી જોવા માટે ગયો હતો, જ્યાં આઝીમ કામ કરતો હતો. ફેક્ટરીમાં બેસીને બંને ભાઈઓ વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે અચાનક લાગેલી આગમાં બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસ કમિશનર સચિન મિત્તલે જણાવ્યું હતું કે, જે જગ્યાએ આ દુર્ઘટના થઈ તે ફટાકડા સંગ્રહ કરવાનું ગોડાઉન હતું અને ફેક્ટરી ત્યાંથી થોડી દૂર આવેલી છે. સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું, જેથી તેના માલિક સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. SHO ઓમપ્રકાશે જણાવ્યું કે- મકાન યાકૂબ નામના વ્યક્તિનું છે. તેણે દિલ્હી નિવાસી ફિરોઝને મકાન ભાડે આપ્યું હતું. તે વસીમ નામના યુવક સાથે મળીને ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવી રહ્યો હતો. અકસ્માત સંબંધિત તસવીરો… ધારાસભ્ય બોલ્યા- શું પોલીસને ખબર નહોતી? ધારાસભ્ય અમીન કાગઝીએ કહ્યું- રહેણાંક વિસ્તારમાં દારૂગોળાનો ગોડાઉન હોવાની શું પોલીસને ખબર નહોતી? લોકો પણ કોના દબાણમાં છે, જે બોલી રહ્યા નથી. આ કોનું છે, કોનું નથી, તેના પર પણ કોઈ જવાબ નથી. ધારાસભ્યએ કહ્યું કે હવે જવાબદાર કહેશે મરનારા રાજસ્થાનના નથી, તો શું તેમનું જીવન નથી? નિષ્ફળતા તો તમારી છે.
Click here to Read more
