જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, 3ના મોત:5 લોકો 90% સુધી દાઝી ગયા, SMS હોસ્પિટલમાં દાખલ; ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી
2 hours ago
જયપુરના ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે સવારે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 5 મજૂરો દાઝી ગયા. મૃતકોની હજુ ઓળખ થઈ નથી. દાઝી ગયેલા આઝીમ ખાન, નાસીર ખાન, સમીર ખાન, બિલાલ, અબ્દુલ વાહિદને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર મોટાભાગના લોકો 80 થી 90 ટકા સુધી દાઝી ગયા છે. જયપુર કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું- ફટાકડા ફેક્ટરી ખોહ નાગોરિયાનમાં આયશા નગર તળાઈ વિસ્તારમાં આઈટીઆઈ કોલેજ પાસે છે. કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ લાગી છે. દુર્ઘટના સંબંધિત ફોટા… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
