Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતીય દર્શકો માટે ઇંગ્લેન્ડ ક્રિકેટે સમય બદલ્યો:3 T20 મેચ એક કલાક વહેલા શરૂ થશે, 1 જુલાઈથી 5 મેચની સિરીઝ રમાશે

    3 hours ago

    1

    0

    ભારતીય દર્શકો માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ 3 T20 મેચ માટે સમય બદલી નાખ્યો છે. પહેલા રાત્રે 11 વાગ્યે શરૂ થતી મેચ હવે એક કલાક વહેલા 10 વાગ્યે શરૂ થશે. ભારત જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસે 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. T20 સિરીઝ 1 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલશે. જ્યારે વન-ડે સિરીઝ 14 જુલાઈથી 19 જુલાઈ વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ટીમ 26 અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરીઝ પણ રમશે. ECBએ દર્શકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો મેચોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય ભારતમાં ટીવી દર્શકોની સંખ્યા વધારવા માટે લેવામાં આવ્યો છે. આ અંગે ECBએ બ્રોડકાસ્ટર્સ સ્કાય સ્પોર્ટ્સ (UK) અને સોની સ્પોર્ટ્સ નેટવર્ક (ભારત) સાથે ચર્ચા કરી. ભારત પ્રવાસથી ECBને નફાની અપેક્ષા ભારતની વ્હાઇટ-બોલ સિરીઝથી ECBને આ વર્ષે સારો નફો થવાની અપેક્ષા છે. મેચ ડેની કમાણી અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ બંનેથી બોર્ડને ફાયદો મળવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, 2027માં ઓસ્ટ્રેલિયા સામે એશિઝ સિરીઝની યજમાની કરવા છતાં ECBને નુકસાન થયું છે. આનાથી ભારત સિરીઝનું મહત્વ વધુ વધી ગયું છે. વન-ડેની તમામ ટિકિટો વેચાઈ ગઈ, T20ની હજુ બાકી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની શરૂઆત પહેલા થશે. પરંતુ હજુ તેના પૂરી ટિકિટ વેચાઈ નથી. જ્યારે ત્રણેય વન-ડે મેચની ટિકિટ સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે. આનું સૌથી મોટું કારણ વિરાટ કોહલી અને રોહિત શર્માના ચાહકો છે. જોકે, વન-ડે મેચની ટિકિટની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી. કોહલી અને રોહિત પહેલાથી જ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. વૈભવ સૂર્યવંશી અને વિરાટ કોહલી પર રહેશે નજર ઇંગ્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વન-ડેમાં વિરાટ કોહલી પણ ફોકસમાં રહેશે. હેમસ્ટ્રિંગ ઇજાને કારણે તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ નહીં રમે. આવી સ્થિતિમાં, જુલાઈમાં ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં તેના કમબેક પર નજર રહેશે. કોહલીએ જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ પછી ભારત માટે કોઈ મેચ રમી નથી. સૂર્યવંશીએ આ IPL સિઝનમાં સૌથી વધુ 776 રન બનાવ્યા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. ગયા વર્ષે 2-2થી સિરીઝ બરાબર કરી હતી ભારતે 2025માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. તે સિરીઝ 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ હતી. છેલ્લી ટેસ્ટમાં ધ ઓવલમાં ભારતની જીતે સિરીઝને બરાબરી પર સમાપ્ત કરાવી હતી.
    Click here to Read more
    Prev Article
    IND vs AFG: अफगानिस्तान के खिलाफ वनडे खेलने पर सस्पेंस खत्म, रोहित-हार्दिक ने पास किया फिटनेस टेस्ट
    Next Article
    वनडे ट्राई सीरीज; 11 ओवर में श्रीलंका-ए का स्कोर 67/0:ओपनर्स में फिफ्टी पार्टनरशिप, इंडिया-ए ने 278 रन का टारगेट दिया

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment