Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Diabetes Tips: બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખશે આ સામાન્ય આદતો, ડોક્ટરે જણાવ્યા ફાયદા

    1 week ago

    1

    0

    Blood Sugar Management Tips : ડાયાબિટીસ એ એક ગંભીર બીમારી છે, જેને સંપૂર્ણપણે નાબૂદ કરવું શક્ય નથી, પરંતુ યોગ્ય પગલાં અનુસરવાથી હંમેશા તેને નિયંત્રણમાં રાખી શકાય છે. મોટાભાગે ઋતુમાં ફેરફાર, તહેવારોની ખાણીપીણીની આદતો, તણાવને કારણે, દર્દીઓનું બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ઇન્ટરનેટ પર જોવા મળતા શોર્ટકટ અથવા ચમત્કારિક ફોર્મ્યુલાની જાળમાં ફસાઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હોઈ શકે છે.  તબીબી વિજ્ઞાનમાં, ડાયાબિટીસ એ એક રોગ છે જે હવામાન, તણાવ, આહાર અને વ્યક્તિગત શારીરિક ફેરફારોને કારણે સતત વધઘટ થયા કરે છે. ડાયાબિટોલોજિસ્ટ ડો.વી મોહન કહે છે કે આજે ડાયાબિટીસના દર્દીઓ પાસે સ્માર્ટ ગ્લુકોમીટર, મોબાઇલ એપ્લિકેશન્સ અને આધુનિક દવાઓ જેવા ઘણા એડવાન્સ સાધનો છે, પરંતુ તેમ છતાં લોકોને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલ ન હોવાનું સૌથી મોટું કારણ નબળી જીવનશૈલી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લોકો મૂળભૂત રોજિંદા આદતોથી દૂર થઈ રહ્યા છે જે ડાયાબિટીઝ મેનેજમેન્ટની વાસ્તવિક ચાવી છે. તેમનું માનવું છે કે કેટલીક સરળ અને નિયમિત દિનચર્યા અપનાવવાથી બ્લડ શુગર  લેવલને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકાય છે.  આરોગ્ય નિષ્ણાતો માને છે કે બ્લડ શુગરને વર્ષમાં 365 દિવસ સલામત રેન્જમાં રાખવા માટે કોઈ જાદુઈ ઉપાય નથી, પરંતુ તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક અને ખૂબ જ સરળ જીવનશૈલીના નિયમો છે જેને અપનાવવાની જરૂર છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આખું વર્ષ ડાયાબિટીસ કેવી રીતે કન્ટ્રોલ કરવું.પરફેક્શન નહીં, નિયમિતતા જરૂરી છે ડો.મોહનના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સખત અથવા ફેન્સી આહારની જરૂર નથી. યોગ્ય સમયે ખાવું, પર્યાપ્ત પ્રોટીન અને ફાઇબર સહિતની સંતુલિત ભોજનનું સેવન વધુ અસરકારક સાબિત થાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ અને જંક ફૂડથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી વધુ પડતું ખાવું બ્લડ શુગર માટે વધુ હાનિકારક હોઈ શકે છે.  હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે 'ક્રેશ ડાયેટ' કરતાં 'સસ્ટેનેબલ ડાયટ' વધુ અસરકારક છે. બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, પેકેટમાં વેચાતો નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સનું વધુ પડતું સેવન ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ સીધું વધારે છે કારણ કે તે ઇન્સ્યુલિન પ્રતિકારનું કારણ બને છે. હળવી કસરત પણ મોટી અસર ઘણા લોકો માને છે કે માત્ર હાર્ડ વર્કઆઉટ્સ ફાયદાકારક છે, જ્યારે આવું નથી. જમ્યા પછી ચાલવું, હળવી સ્ટ્રેચિંગ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ પણ બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે. નિષ્ણાતો કહે છે કે પ્રસંગોપાત ભારે વર્કઆઉટ કરવા કરતાં દરરોજ થોડી કસરત કરવી વધુ ફાયદાકારક છે. જર્નલ સ્પોર્ટ્સ મેડિસિન (2022) માં પ્રકાશિત પ્રખ્યાત મેટા એનાલિસિસ સ્ટિચ અભ્યાસ મુજબ, ખોરાક ખાધા પછી માત્ર 2 થી 5 મિનિટ ચાલવાથી પણ બ્લડ શુગર અને ઇન્સ્યુલિન લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. બ્લડ શુગર લેવલનો આંકડો જોઇ ગભરાશો નહીં બ્લડ શુગર લેવલનો ઉંચો આંકડો જોયા પછી કોઈએ ગભરાવું જોઈએ નહીં. ડૉ. મોહન સમજાવે છે કે ઘણા દર્દીઓ ગભરાટમાં મોનિટરિંગ કરવાનું બંધ કરી દે છે, જે ધીમે ધીમે જટિલતાઓ તરફ દોરી જાય છે. નિયમિત મોનિટરિંગ શરીરની પેટર્નને સમજવામાં અને વધુ સારા નિયંત્રણમાં મદદ કરે છે. ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જે દર્દીઓ સતત ગ્લુકોઝ મોનિટર અથવા નિયમિત ગ્લુકોમીટરનો ઉપયોગ કરે છે તેઓ તેમના શરીરના 'ગ્લુકોઝ પેટર્ન' ને વધુ સારી રીતે સમજી શકે છે. સંશોધન કહે છે કે, એક રિડિંગ ખરાબ આવ્યા બાદ ગભરાવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન ઉત્પન્ન થાય છે, જે બ્લડ શુગર વધારવાનું કામ કરે છે. તેથી જ આખા અઠવાડિયા માટે પેટર્ન જોવી મહત્વપૂર્ણ છે, માત્ર એક દિસવનો આંકડો નહીં. ઊંઘ અને તણાવને હળવાશથી ન લો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નબળી ઊંઘ અને સતત તણાવની સીધી અસર ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા અને વજન પર પડે છે. જો તમને પૂરતી અને ઊંડી ઊંઘ ન મળે તો બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. તેથી, તણાવ ઘટાડવો અને સારી ઊંઘ મેળવવી એ પણ ડાયાબિટીઝ મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શિકાગો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તંદુરસ્ત લોકોને પણ સતત થોડા દિવસો સુધી માત્ર 4 થી 5 કલાકની ઊંઘ આપવામાં આવે છે, પછી તેમના શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતા 40% ઘટી જાય છે અને તેઓ પ્રી ડાયાબિટીસ તબક્કામાં પહોંચે છે. ક્રોનિક તણાવ શરીરમાં હોર્મોન્સ 'કોર્ટિસોલ' અને 'એડ્રેનાલિન' મુક્ત કરે છે. આ હોર્મોન્સ યકૃતમાં સંગ્રહિત ગ્લુકોઝને લોહીમાં મુક્ત કરે છે, જે કંઈપણ મીઠું ખાધા વિના પણ બ્લડ શુગર લેવલ વધારે છે. દવા મદદ કર કરે છે, પરંતુ આદતોનું સ્થાન લઇ શકતી નથી નવી દવાઓ બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં, ભૂખ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ ડો.મોહન સ્પષ્ટ રીતે કહે છે કે જો ડાયેટ, કસરત, ઊંઘ અને તણાવ જેવી પાયાની ચીજોનું ધ્યાન ન રાખવામાં આવે તો દવાઓનો પૂરો ફાયદો મળતો નથી. આ પણ વાંચો | વજન ઘટાડવા માટે વરિયાળીનું સેવન કેવી રીતે કરવું? આ સાવચેતી રાખવી Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાગૃતિ અને સામાન્ય જ્ઞાન માટે છે. તે કોઈ પણ રીતે લાયક ડૉક્ટર અથવા તબીબી નિષ્ણાતની વ્યાવસાયિક તબીબી સલાહ, ટેસ્ટ અથવા સારવારનો વિકલ્પ નથી. દરેક વ્યક્તિનું શરીર અને તેની તબીબી સ્થિતિ અલગ અલગ હોય છે. તેથી, તમારા આહાર, કસરત અથવા દવાઓમાં કોઈ ફેરફાર કરતા પહેલા હંમેશાં તમારા ડોક્ટર અથવા ડાયાબિટોલોજિસ્ટની સલાહ લેવી.
    Click here to Read more
    Prev Article
    कितने दिनों बाद खराब होने लगती है घर के फ्रीजर में रखी आइसक्रीम, खाना चाहिए या नहीं?
    Next Article
    Priya Jitendra Kamble Arrested: Instagram Influencer With 32,000 Followers Held for Stealing Copper Wire in Latur

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment