Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા

    4 hours from now

    1

    0

    બોલિવૂડની સૌથી બિન્દાસ અને ‘ધાકડ ક્વીન’ તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. કંગના હંમેશા કોઈ પણ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયા સામે રાખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રહસ્યો જાહેર કરતી રહે છે. હવે તેણે ફરી એકવાર પોતાના કરિયરના શરૂઆતના દિવસોને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં તેણે ભારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં પણ કેટલાક લોકો તેને જેલ ભેગી કરવા માંગતા હતા.રણવીર સિંહના વિવાદ પર આપ્યું સમર્થનવાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. 'ડોન 3' માંથી બહાર થવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ (બાન) મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. FWICE એ રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવાયો છે.રણવીર સિંહ સામે થયેલી આ કાર્યવાહી પર કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, વિવાદો ઘણીવાર સફળતાનો એક એવો ભાગ હોય છે જેનાથી બચી શકાતું નથી. રણવીરને લઈને અત્યારે જે આલોચનાઓ કે તપાસ થઈ રહી છે, તે કોઈ નવી કે અનોખી વાત નથી.‘તારીખો જ તારીખો પડતી હતી’રણવીર સિંહ સાથે થયેલો આ વિવાદ જોઈને કંગનાને પોતાના કરિયરનો એ મુશ્કેલ સમય યાદ આવી ગયો હતો. તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મળતા વિરોધ અને આલોચનાઓ સાથે જીવવાનું બહુ પહેલાં જ શીખી લીધું હતું. એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ મોટો ખુલાસો કરતા કહ્યું— "હા, બિલકુલ... સૌથી પહેલા મને જ બેન કરવામાં આવી હતી. લોકોએ મારા પર મુકદ્દમાઓ ચલાવ્યા, મને કાનૂની રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો અને મને જેલમાં નાખવાની પણ કોશિશ કરી હતી."કંગનાએ વધુમાં ઉમેર્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારા પર એટલા બધા કેસ નોંધાયેલા હતા કે મારો વકીલ બસ કોર્ટની તારીખો પર જ ચક્કર કાપી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે બસ 'પેશીઓ જ પેશીઓ' થઈ રહી છે. તે સમયે મીડિયાએ પણ મારા પર મોટો પ્રતિબંધ લગાવી દીધો હતો." કંગનાએ હસતા હસતા કહ્યું કે, "હું તો આ બધી બાબતોમાં હવે ગુરુ બની ગઈ છું. મને વર્ષો સુધી આ રીતે બેન કરવામાં આવી છે કે હવે આ બધું મને બાળકોની રમત જેવું લાગે છે અને હું આનાથી ડરતી નથી."આ દિવસે રિલીઝ થશે કંગનાની આગામી ફિલ્મવર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'भारत भाग्य विधाता' (ભારત ભાગ્ય વિધાતા) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી જાંબાઝ નર્સની ભૂમિકા ભજવી રહી છે, જેણે 26/11 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલ પર હુમલો થવા છતાં પોતાની જાન જોખમમાં મૂકીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા અને બાળકોની ડિલિવરી કરાવી હતી.આ પણ વાંચો:Plastic Currency India: હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે
    Click here to Read more
    Prev Article
    SBTE Bihar diploma even semester results 2026 declared; scorecards available at sbte.bihar.gov.in
    Next Article
    कोई चूक नहीं चाहते ट्रंप, ईरान से डील से पहले 100 न्यूक्लियर एक्सपर्ट की बनाई टीम, क्या है प्लान?

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment