Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Parama Ekadashi 2026: સહસ્ત્ર ગણુ ફળ આપનારી પરમા એકાદશી ક્યારે છે?

    4 hours from now

    1

    0

    તે છે પરમા એકાદશી, જે માત્ર અધિક માસ દરમિયાન અને તે પણ લગભગ 3 વર્ષે એકવાર જ આવે છે. આ કારણે તેને અત્યંત વિશિષ્ટ અને દુર્લભ એકાદશી માનવામાં આવે છે.અધિક માસ કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે  હિન્દુ પંચાંગ અનુસાર, જ્યારે અધિક માસ આવે છે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી અન્ય 24 એકાદશીઓથી અલગ છે કારણ કે તેનું આગમન માત્ર વિશેષ સંયોગમાં જ થાય છે. તેથી તેનું ધાર્મિક મહત્વ પણ અનેકગણું વધારે માનવામાં આવે છે. પરમા એકાદશી હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર અને દુર્લભ એકાદશી માનવામાં આવે છે. આ એકાદશી માત્ર અધિક માસ દરમિયાન જ આવે છે. સામાન્ય રીતે તે લગભગ ત્રણ વર્ષે એકવાર આવે છે. પરમા એકાદશી કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. તેને તમામ એકાદશીઓમાં વિશેષ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રત પાપોથી મુક્તિ અપાવે છે. પરમા એકાદશીનું વ્રત મોક્ષદાયક માનવામાં આવે છે.આ દિવસે ઉપવાસ રાખીને ભગવાનના નામનો જાપ કરવામાં આવે  આ દિવસે ઉપવાસ રાખીને ભગવાનના નામનો જાપ કરવામાં આવે છે. ભક્તો તુલસીદળ, ફળ અને મીઠાઈનો ભોગ અર્પણ કરે છે. પરમા એકાદશી પર દાન-પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. પુરાણો મુજબ કુબેરે પણ આ વ્રત કરીને વિશેષ કૃપા પ્રાપ્ત કરી હતી. આ વ્રતથી સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળતી હોવાનું માનવામાં આવે છે. ભક્તો આ દિવસે ભજન-કીર્તન અને ભગવાનના સ્મરણમાં સમય વિતાવે છે. પરમા એકાદશી આધ્યાત્મિક ઉન્નતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારવાનો મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દરેક એકાદશીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તથા પાપોથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ પરમા એકાદશીને "પરમ" એટલે કે સર્વોચ્ચ એકાદશી કહેવામાં આવી છે, કારણ કે તે મોક્ષ આપનારી માનવામાં આવે છે. પરમા એકાદશીની તારીખ અને સમય આ વર્ષે પરમા એકાદશીની તારીખને લઈને થોડી અવઢવ જોવા મળે છે, પરંતુ સ્પષ્ટ રીતે આ વ્રત 11 જૂન 2026ના રોજ રાખવામાં આવશે. એકાદશી તિથિની શરૂઆત: 10 જૂન, રાત્રે 12:57 વાગ્યે એકાદશી તિથિનો અંત: 11 જૂન, રાત્રે 10:36 વાગ્યે આથી વ્રત 11 જૂને જ કરવામાં આવશે. વિશેષ યોગ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગોમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધુ રહે છે, ખાસ કરીને વેપાર અને કારકિર્દી સંબંધિત ક્ષેત્રોમાં. પરમા એકાદશીનું પૌરાણિક મહત્વ પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ધનના દેવતા કુબેરે પણ પરમા એકાદશીનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી તેમને ધનાધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું હતું. તે જ રીતે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પણ આ વ્રતનું પાલન કર્યું હતું. તેમણે પોતાનું રાજ્ય, પરિવાર અને વૈભવ ગુમાવ્યું હતું, પરંતુ આ વ્રતના પ્રભાવથી તેમને ફરીથી બધું પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે. પરમા એકાદશી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પુનઃસ્થાપનાનો માર્ગ ખોલનારી માનવામાં આવે છે. અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે પરમા એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજા કરે છે તેને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. પરમા એકાદશી વ્રત વિધિ વ્રતના એક દિવસ પહેલાં (10 જૂન) રાત્રે ભારે ભોજન ન કરો. બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. ઘરના મંદિરમાં સફાઈ કરીને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. વિષ્ણુજીને પીળા ફૂલ અને માતા લક્ષ્મીને લાલ ફૂલ અર્પણ કરો. ગંગાજળથી અભિષેક કરીને તિલક અને અક્ષત ચઢાવો. ફળ, મીઠાઈ અને તુલસીદળ સાથે ભોગ ધરાવો. આરતી કરો.મંત્ર જાપ "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો 108 વખત જાપ કરો. સાંજે ફરીથી પૂજા કરીને ભજન-કીર્તન કરો અને ભગવાન સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરો.પરમા એકાદશી વ્રતના લાભ માનસિક શાંતિ અને સ્થિરતા મળે છે. જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. ધન અને સમૃદ્ધિના માર્ગ ખુલે છે. કષ્ટો અને અવરોધો દૂર થાય છે. આધ્યાત્મિક પ્રગતિ અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે. મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે એવી ધાર્મિક માન્યતા છે.આ પણ વાંચો: Budh Vakri: 29 જૂને વક્રી થશે ગ્રહોના રાજકુમાર બુધ, આ રાશિને અઢળક ફાયદો(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    Zojila Tunnel Breakthrough Achieved: Kashmir-Ladakh All-Weather Link Moves Closer To Reality
    Next Article
    जब पूरी दुनिया की जुबान पर एक ही सवाल, तब भारत ने दिखाई लोकतंत्र की ऐसी ताकत, दे दिया नेहरू का मजबूत विकल्‍प

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment