Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    MS Dhoni રમશે મેચ? ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કરી સ્પષ્ટતા

    3 weeks ago

    1

    0

    આઈપીએલ 2026ની સૌથી ઈમોશનલ અને હાઈ-વોલ્ટેજ મેચ આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરશે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની સીએસકે માટે આઈપીએલ 2026 ની 63મી મેચ માત્ર તેમની પ્લેઓફની આશાઓને જીવંત રાખવાની તક પૂરી પાડી, પરંતુ લાખો ચેન્નાઈ ફેન્સ માટે ઈમોશનલ ક્ષણ પણ બની ગઈ. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આજે IPL 2026માં પોતાની છેલ્લી ઘરઆંગણે મેચ રમી રહી છે. આ પરિસ્થિતિમાં ટોસ પહેલા ચેન્નાઈના ફેન્સના એમએસ ધોની પ્રત્યેના સવાલને લઈને ફેન્સના ધબકારા ખૂબ વધી ગયા. તમને જણાવી દઈએ કે ચેન્નાઈના ફેન્સ એમએસ ધોનીના મેદાનમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમએસ ધોની નહીં રમે હૈદરાબાદ સામેની મેચ SRH સામેની આજની મેચમાં એમએસ ધોનીની વાપસીની અપેક્ષા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે ધોની આજે પણ રમશે નહીં. આમ એમએસ ધોનીના વાપસીની રાહ વધી ગઈ છે. ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીત્યા પછી ઋતુરાજ ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે એમએસ ધોની ફિટ નથી અને આજની મેચ રમશે નહીં. તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ આ સિઝનમાં એક પણ મેચ રમી નથી. તમને જણાવી દઈએ કે બંને ટીમો હાર બાદ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેદાનમાં ઉતરી રહી છે અને જીત મેળવીને પ્લેઓફની દોડમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માગશે. ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં 5મા નંબરે છે. ટીમે 12 મેચોમાં 6 જીત અને 6 હાર સાથે 12 પોઈન્ટ મેળવ્યા છે. પ્લેઓફની આશા જીવંત રાખવા માટે મહત્ત્વપૂર્ણ મેચ ઋતુરાજ ગાયકવાડની ટીમે સતત ત્રણ હાર સાથે સીઝનની શરૂઆત કર્યા પછી શાનદાર વાપસી કરી હતી, પરંતુ છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટની હારથી ટીમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે સીએસકેને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે કોઈપણ કિંમતે તેની બાકીની બંને મેચ જીતવી પડશે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ખરાબ શરૂઆત બાદ મજબૂત વાપસી કરી છે. ટીમે તેમની પહેલી 4 મેચમાંથી 3 હારી હતી, પરંતુ ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. SRHએ તેમની 12 મેચમાંથી 7 જીતી છે, અને જો તેઓ ચેન્નાઈને હરાવે છે, તો પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ નોંધપાત્ર રીતે મજબૂત બનશે. પરંતુ હૈદરાબાદ પણ તેમની પાછલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે 82 રનની મોટી હાર બાદ આવી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકિલ હુસૌન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોનસન સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    Thomas Rhett is a big One Direction fan
    Next Article
    પાકિસ્તાને સંરક્ષણ કરારો નીચે સઉદી અરબમાં 8000 સૈનિકો અને જેટસ મોકલ્યા

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment