જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવો શુભ યોગ આશરે 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની ઉપાસના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, જો આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.15 જૂને અવશ્ય કરો આ શુભ કાર્યસોમવતી અમાસ અને અધિક માસના આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરો. તેમને ખીર, માલપુઆ, ફળ અને મીઠાઈનો ભોગ અર્પણ કરો. પવિત્ર સ્નાન15 જૂને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. માન્યતા છે કે અધિક માસ અને સોમવતી અમાવસ્યાના સંયોગમાં પવિત્ર સ્નાન કરવાથી વ્યક્તિના પાપોનું ક્ષય થાય છે અને પિતૃઓની આત્માને પણ શાંતિ મળે છે. આ માટે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ ઉપાય જીવનની અનેક અડચણો દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.તર્પણ અને દાનઅમાસના દિવસે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. 15 જૂને સોમવતી અમાસ અને અધિક માસનો સંયોગ હોવાથી આ દિવસે પિતૃઓની શાંતિ માટે કરવામાં આવેલા કાર્યો ખૂબ ફળદાયી ગણાય છે. આ દિવસે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓના નામે જળ અર્પણ કરો. ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને અનાજ, કાળા તલ અને વસ્ત્રોનું દાન કરો. આવું કરવાથી પિતૃ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.પીપળાના વૃક્ષની પૂજાઅમાસની સાંજે પીપળાના વૃક્ષના મૂળમાં કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરો. ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી પીપળાના વૃક્ષની 11 અથવા 108 વખત પરિક્રમા કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ઇચ્છો તો પીપળાના વૃક્ષને પાણીમાં કાચું દૂધ ભેળવીને પણ અર્પણ કરી શકો છો.આ પણ વાંચો: Palmistry : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળી પર શુક્ર પર્વત દામ્પત્યજીવનને સુખી બનાવે(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
Click here to Read more
