Lashkare Taiba:પાકિસ્તાનના એબટાબાદમાં બની રહ્યું છે આતંકનું નવું કેન્દ્ર, અનાથ બાળકો પર નજર!
2 weeks ago
ભારત દ્વારા કરવામાં આવેલા ઘાતક 'ઓપરેશન સિંદૂર' બાદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સંપૂર્ણપણે ફફડી ગયું છે. પોતાના અસ્તિત્વને બચાવવા માટે લશ્કરે હવે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (KPK) પ્રાંતના એબટાબાદમાં એક નવું આતંકી કેન્દ્ર (મરકજ) તૈયાર કરવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ નવા કેન્દ્રમાં અનાથ બાળકો અને ગરીબ યુવાનોની ભરતી કરીને તેમને કટ્ટરપંથી બનાવવાની આશંકા છે.આતંકી મક્કીના નામ પર નવું કેન્દ્રખુફિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો મરકજ લશ્કરના વડા હાફિઝ સઈદના સાળા અને પ્રતિબંધિત આતંકી સંગઠનના વરિષ્ઠ નેતા અબ્દુલ રહમાન મક્કીના નામ પર બનાવવામાં આવી રહ્યો છે. મક્કીને ભારત અને અમેરિકા બંને અગાઉ જ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. તે લશ્કરની રાજકીય અને વિદેશી બાબતોની શાખાનો પ્રમુખ રહ્યો છે.મુરિદકે હેડક્વાર્ટર તબાહ થતાં કેન્દ્ર બદલ્યુંમે 2025માં ભારતીય સેનાની આક્રમક કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું લશ્કરનું મુખ્ય મથક 'મુરિદકે' સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતું. આ ભારે નુકસાન બાદ આતંકી સંગઠને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બદલવાની ફરજ પડી છે. હવે લશ્કર અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારો અને KPK માં પોતાના નેટવર્કને મજબૂત કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ આ પાંચમું મોટું આતંકી માળખું છે જે લશ્કર દ્વારા ફરીથી ઊભું કરવામાં આવી રહ્યું છે. અગાઉ કોટલી, મીરપુર અને રાવલાકોટ જેવા વિસ્તારોમાં પણ આતંકી પ્રવૃત્તિઓ વધી હોવાના અહેવાલો આવ્યા હતા.અનાથ બાળકો સોફ્ટ ટાર્ગેટખુફિયા એજન્સીઓ માટે સૌથી મોટી ચિંતા એ છે કે આ વખતે લશ્કર એવા યુવાનો અને અનાથ બાળકોને નિશાન બનાવી રહ્યું છે જેમની સામાજિક કે કૌટુંબિક સુરક્ષા નબળી છે. આતંકીઓ આવા બાળકોનું બ્રેઈનવોશ કરે છે જેથી જો તેઓ ભવિષ્યમાં કોઈ આતંકી હુમલામાં માર્યા જાય, તો પાકિસ્તાન સરકાર કે સંગઠન પર કોઈ જવાબદારી નક્કી ન થઈ શકે.શું હતું ઓપરેશન સિંદૂર?22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 7 મે 2025 ના રોજ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકે (PoK) માં સ્થિત આતંકી ઠેકાણાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના 9 મુખ્ય ટ્રેનિંગ સેન્ટરો ધ્વસ્ત કરી દેવાયા હતા. હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનની આ નવી હિલચાલ પર કડક નજર રાખી રહી છે.આ પણ વાંચો:Iran War:ઇરાન વિરુદ્ધ યુદ્ધમાં UAEની ગુપ્ત અને મોટી ભૂમિકા,સીઝફાયર પછી પણ કર્યા ડઝનબંધ હુમલા
Click here to Read more