Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Shivling : કાળુ કે સફેદ ઘરમાં ક્યુ શિવલિંગ રાખવાથી થાય ફાયદો

    2 weeks ago

    1

    0

    જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર બંને પ્રકારના શિવલિંગનું અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. યોગ્ય નિયમોથી શિવલિંગ સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. શિવલિંગ કેમ ખાસ માનવામાં આવે છે? શિવલિંગને ભગવાન શિવજીનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ તેની પૂજા કરવાથી માનસિક શાંતિ, સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી જ લોકો પોતાના ઘરના મંદિરમાં પણ શિવલિંગ સ્થાપિત કરવાનું પસંદ કરે છે. કાળા શિવલિંગનું મહત્વ કાળું શિવલિંગ સામાન્ય રીતે પથ્થર અથવા નર્મદા નદીમાંથી મળતા નર્મદેશ્વર શિવલિંગ સ્વરૂપે જોવા મળે છે. તેને શક્તિ, ગંભીરતા અને તપસ્યાનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે તે નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં અને મનને સ્થિર રાખવામાં મદદરૂપ બને છે. કાળું શિવલિંગ રાખવાના લાભ ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળું શિવલિંગ ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ મજબૂત બનાવે છે. તેનાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. જોકે કેટલાક લોકો માને છે કે કાળું શિવલિંગ મંદિરમાં સ્થાપિત કરવું વધુ યોગ્ય ગણાય છે. સફેદ શિવલિંગ કેમ શુભ માનવામાં આવે છે? સફેદ શિવલિંગને શાંતિ, સૌમ્યતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. તે સામાન્ય રીતે સંગમરમર અથવા સફેદ પથ્થરથી બનાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તે ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિ વધારવામાં મદદરૂપ બને છે. સફેદ શિવલિંગના લાભ સફેદ શિવલિંગ રાખવાથી ઘરના વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા જળવાઈ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધે છે. માનસિક તણાવ ઓછો થાય છે. જે લોકો પ્રથમ વખત ઘરમાં શિવલિંગ સ્થાપિત કરે છે, તેમના માટે સફેદ શિવલિંગ શુભ માનવામાં આવે છે. શિવલિંગનું કદ ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં ખૂબ મોટું શિવલિંગ રાખવું જોઈએ નહીં. અંગૂઠાના કદ જેટલું અથવા તેનાથી થોડું મોટું શિવલિંગ ઘરના મંદિર માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ પણ વાંચો: Born in June: જૂનમાં જન્મેલા લોકોમાં હોય કમાલની ખુબીઓ, નાની ઉંમરે મેળવીલે સફળતા(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    MI vs RR Live : મુંબઈ ઈન્ડિયન્સે 7મી વિકેટ ગુમાવી, હાર્દિક આઉટ
    Next Article
    IPL- मुंबई का सातवां विकेट गिरा:पंड्या के बाद बॉश आउट, स्कोर 155/7; राजस्थान ने 206 रन का टारगेट दिया

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment