Gujarat-Rajasthan વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ હવે જેસલમેર સુધી દોડશે
3 weeks ago
નવી દિલ્હીમાંથી રેલવે વિભાગ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાડી નંબર 20485/86 સાબરમતી-જોધપુર એક્સપ્રેસને હવે જેસલમેર સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે. આ વિસ્તરણનો શુભારંભ 22 મેના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કરશે.જેસલમેર જતાં પ્રવાસીઓને મળશે સુવિધા રેલવે વિભાગના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ખાસ કરીને જેસલમેર જતાં પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે. “સ્વર્ણ નગરી” તરીકે ઓળખાતું જેસલમેર રાજસ્થાનનું મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. અહીં આવેલો સોનાર કિલ્લો, પટવાઓની હવેલી, મોટો બાગ અને થારનું રણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો કરે છે પ્રવાસ રેલવેના આ વિસ્તરણથી જેસલમેરમાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રેલ માર્ગ દ્વારા જૈસલમેર પહોંચે છે. નવી રેલ સેવા દ્વારા પ્રવાસીઓની અવરજવર વધુ સરળ બનશે, જેના કારણે સ્થાનિક રોજગાર અને વેપારને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જેસલમેર અને આસપાસના વિસ્તારના લોકોને જોધપુર અને અમદાવાદ સુધી આરોગ્ય અને શિક્ષણ સંબંધિત જરૂરિયાતો માટે વધુ સારી મુસાફરી સુવિધા મળશે. રેલવેના આ પગલાને વિકાસ અને પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : ભારતની SSBN શક્તિનું દુર્લભ દૃશ્ય મળ્યુ જોવા, Visakhapatnamમાં ચારેય અરિહંત સબમરીન એકસાથે જોવા મળી
Click here to Read more