Mental Health: લાંબા સમય સુધી એકલા રહેવાથી શરીર બની જશે બીમારીઓનું ઘર,બાબા રામદેવે જણાવ્યા ઉપાય
3 hours from now
આજની ડિજિટલ દુનિયામાં માણસ સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક જોડાયેલો રહે છે, પરંતુ દિલનું કનેક્શન નબળું પડી રહ્યું છે. ચીન સહિત દુનિયાના કેટલાય દેશોમાં હવે લોકો પોતાની એકલતા દૂર કરવા માટે ટ્રેકિંગ, શોપિંગ કે રેસ્ટોરન્ટમાં જવા માટે પાર્ટનર ભાડે રાખી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે એકલતા હવે વૈશ્વિક સ્તરે એક ગંભીર બીમારીનું રૂપ લઈ ચૂકી છે. એકલતા માત્ર મનને ઉદાસ નથી કરતી, પરંતુ તે ધીમે-ધીમે શરીરને પણ પોતાની પકડમાં લઈ લે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી એકલતા અનુભવે છે, ત્યારે શરીર તેને માનસિક તણાવ (સ્ટ્રેસ) તરીકે સ્વીકારે છે, જેનાથી શરીરની અંદર હોર્મોનલ સંતુલન બગડે છે.દર 6 માંથી 1 વ્યક્તિ એકલતાનો શિકારવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2014થી 2023 વચ્ચે દુનિયામાં દર 6માંથી 1 વ્યક્તિએ ગંભીર એકલતાનો અનુભવ કર્યો છે, જેના કારણે દર કલાકે લગભગ 100 લોકો સરેરાશ જીવ ગુમાવે છે. આ સમસ્યા કિશોરો અને યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે, જો કે વૃદ્ધોમાં પણ તેનું પ્રમાણ 11.8% જેટલું ઊંચું છે.એકલતા વધવાથી શરીર બીમાર પડે છે.લાંબા સમયની એકલતા ડિપ્રેશન અને એન્ઝાયટી (ચિંતા)નું જોખમ વધારે છે. શરીર જ્યારે સતત તણાવમાં રહે છે, ત્યારે ‘કોર્ટિસોલ’ અને ‘એડ્રેનાલિન’ જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. આના પરિણામે શરીરમાં સોજો (Inflammation) વધે છે અને ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે. તેના કારણે નીચે મુજબની ગંભીર બીમારીઓ થવાનું જોખમ બમણું થઈ જાય છે:હૃદયરોગ (હાર્ટ એટેક) અને સ્ટ્રોકહાઈ બ્લડ પ્રેશર (હાઈ બીપી)ડાયાબિટીસ અને મેદસ્વીપણું (મોટાપો)બાબા રામદેવના જણાવ્યા અનુસાર એકલતા દૂર કરવાના સરળ ઉપાયો:લોકો સાથે વાતચીત શરૂ કરોએકલતાને હરાવવા માટે સોશિયલ બનવું જરૂરી છે. બહુ વધારે નહીં તો કમ સે કમ નજીકના લોકો સાથે રોજ થોડી વાતચીત કરો, જેથી મન હળવું થાય.પરિવાર સાથે દિલની વાત શેર કરોપરિવાર તમારો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ છે. તમે જે વિચારો છો કે અનુભવો છો, તે પરિવારના એ સભ્ય સાથે ચોક્કસ શેર કરો જેની સૌથી વધુ નજીક છો.નવા મિત્રો બનાવો ઉંમરના ગમે તે પડાવ પર હોવ, મિત્રો બનાવવામાં ક્યારેય ખચકાટ ન અનુભવો. સાચા મિત્રો એકલતાને દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.યોગ અને મેડિટેશન અપનાવો બાબા રામદેવના મતે, નિયમિત યોગ અને ધ્યાન (મેડિટેશન) કરવાથી શરીરમાં રહેલા સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત થાય છે. આનાથી મન શાંત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો આ બધું કરવા છતાં પણ સારું ન લાગે, તો કોઈ પ્રોફેશનલ કાઉન્સિલર કે ડોક્ટરની મદદ લેવામાં બિલકુલ શરમાવું જોઈએ નહીં.આ પણ વાંચો:Europe: શું આવશે હિમયુગ? પૃથ્વીના સમુદ્રી એન્જિનમાં આવતી ખામી માનવજાત માટે ખતરો!(Disclaimer:આ માહિતી સામાન્ય રિપોર્ટ્સ અને આર્ટિકલ પર આધારિત છે. અમારું વેબ પોર્ટલ આ વિગતોની પુષ્ટિ કરતું નથી. કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા કે સારવાર માટે હંમેશા તમારા ફેમિલી ડોક્ટર અથવા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત (સાયકોલોજિસ્ટ)ની સલાહ અચૂક લેવી.)
Click here to Read more

