Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Who is Maria Montserrat Alvarado: વેટિકનમાં સર્જાયો ઈતિહાસ, પ્રથમ સામાન્ય મહિલા બન્યા કમ્યુનિકેશન હેડ

    1 week ago

    1

    0

    આ પદ સંભાળનાર પ્રથમ બિન-ધાર્મિક મહિલા બનશે. અલ્વારાડો 1 નવેમ્બરથી આ જવાબદારી સંભાળશે. પ્રવર્તમાન પરંપરા બદલાઇ રોમન કેથોલિક ચર્ચના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના બની છે. જેણે પ્રવર્તમાન પરંપરાને બદલી નાખી છે. પહેલીવાર, વેટિકને એક સામાન્ય મહિલાને ટોચના વહીવટી પદ પર નિયુક્ત કરી છે. અત્યાર સુધી, ફક્ત ધાર્મિક પરંપરાની મહિલાઓ જ આ પદો પર હતી. વેટિકનમાં આ નિમણૂકને ઐતિહાસિક માનવામાં આવે છે. કારણ કે આટલા લાંબા સમયથી કોઈ પોપ આટલો ફેરફાર કરી શક્યા નથી. જે ​​મહિલાને આ ઐતિહાસિક પદ આપવામાં આવ્યું છે તે મારિયા મોન્ટસેરાટ અલ્વારાડો છે. વેટિકન દ્વારા કરાયેલી આ જાહેરાતથી બધાને આશ્ચર્ય થયું છે. કોમ્યુનિકેશનના વડાનું પદ સંભાળશે વેટિકને જાહેરાત કરી કે મેક્સિકો સિટીમાં જન્મેલા અને 2008થી યુએસ નાગરિક, મારિયા મોન્ટસેરાટ અલ્વારાડો, 1 નવેમ્બરથી વેટિકનના શક્તિશાળી સંદેશાવ્યવહાર વિભાગ, ડિકાસ્ટરી ફોર કોમ્યુનિકેશનના વડાનું પદ સંભાળશે. તેઓ નિવૃત્ત થતા પાઓલો રુફિનીનું સ્થાન લેશે. આ વિભાગની સ્થાપના સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસ દ્વારા 2015માં કરવામાં આવી હતી અને તે વેટિકનની ન્યૂઝ વેબસાઇટ, રેડિયો સ્ટેશન, અખબાર, પ્રેસ ઓફિસ, પ્રકાશન વિભાગ અને ફિલ્મ લાઇબ્રેરીનું સંચાલન કરે છે. કોણ છે મારિયા મોન્ટસેરાટ અલ્વારાડો? મારિયા મોન્ટસેરાટ અલ્વારાડો અગાઉ અમેરિકન કેથોલિક મીડિયા નેટવર્ક EWTN ન્યૂઝ માટે ન્યૂઝ એન્કર તરીકે સેવા આપી હતી અને 2023 સુધી તેના પ્રમુખ અને મુખ્ય સંચાલન અધિકારી તરીકે સેવા આપી હતી. વેટિકનના આ નિર્ણયને ચર્ચ વહીવટમાં મહિલાઓની ભૂમિકાને આધુનિક બનાવવા અને વધારવા તરફ એક મુખ્ય પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તે એ પણ સૂચવે છે કે, આગામી વર્ષોમાં ચર્ચના ટોચના નેતૃત્વમાં મહિલાઓની ભાગીદારી વધી શકે છે. આ પણ વાંચોઃ કુવેત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇરાનનો ડ્રોન હુમલો, અફરાતફરીનો માહોલ સર્જાયો
    Click here to Read more
    Prev Article
    Aamir Khan's Lagaan to re-release in theatres on completing 25 years; here are the dates
    Next Article
    दिल्ली में 6 मंजिला होटल में आग, 21 की मौत:इनमें ज्यादातर विदेशी, 40 लोगों का रेस्क्यू; 25 कमरों वाले होटल के पास फायर NOC नहीं

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment