Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    '370ની બિરયાની' વિવાદમાં મહિલા આયોગ લાલઘૂમ:હિમાંશુ જાંગડા અને કોમેડિયન પ્રણિત મોરેને નોટિસ ફટકારી; AIMSAની ડૉ.સેજલ પવાર સામે કાર્યવાહીની માંગ

    2 hours ago

    1

    0

    રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ગુરુગ્રામમાં થયેલા કોમેડિયન પ્રણિત મોરેના સ્ટેન્ડ-અપ કોમેડી શો સાથે સંકળાયેલા વિવાદની સ્વતઃ સંજ્ઞાન લીધી છે. ‘370ની બિરયાની’વાળા વીડિયોના મામલામાં આયોગે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગડાને સુનાવણી નોટિસ જારી કરી છે. આ મામલાની સુનાવણી 22 જૂને સાંજે 4 વાગ્યે આયોગ સમક્ષ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને પત્ર લખ્યો ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, NCW એ કહ્યું કે, 'વાયરલ વીડિયોનું કન્ટેન્ટ અને તેને મનોરંજન તરીકે રજૂ કરવા પર ગંભીર ચિંતા છે.' આ મામલાને ગંભીરતાથી લેતા NCW ના અધ્યક્ષ વિજયા રહાટકરે હરિયાણાના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે. તેમણે આ મામલામાં ઝડપી, કડક અને નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આયોગે પોલીસ પાસેથી સાત દિવસની અંદર કરવામાં આવેલી કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ પણ માંગ્યો છે. આયોગે FIR નોંધણીની સ્થિતિ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી, વાયરલ વીડિયોની તપાસ અને ચકાસણી, તથા આયોજકો, કલાકારો અને વેન્યુ મેનેજમેન્ટની ભૂમિકા સંબંધિત માહિતી માંગી છે. હિમાંશુ જાંગડાને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો નોંધનીય છે કે, પ્રણિત મોરેના શોમાં દર્શક હિમાંશુ જાંગડાએ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિમાંશુ અને પ્રણિતની ટીકા થઈ. હિમાંશુ ગુરુગ્રામની જે ડિઝાઇન અને માર્કેટિંગ એજન્સીમાં કામ કરતો હતો, તેણે આ વિવાદ બાદ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. સંપૂર્ણ સમાચાર વાંચો... AIMSA એ ટિપ્પણીને અપમાનજનક ગણાવી જ્યારે, ઓલ ઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIMSA) એ પ્રણિત મોરેના બીજા સ્ટેન્ડ-અપ શો દરમિયાન MBBS વિદ્યાર્થી સેજલ પવાર દ્વારા કેડાવર (શબ) અને બોડી ડોનર્સ પર કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરી છે. AIMSA એ કહ્યું કે, 'મૃતદેહો અને બોડી ડોનર્સને મનોરંજન કે કોમેડીનો વિષય બનાવવો અસંવેદનશીલ અને અપમાનજનક છે.' સંસ્થા અનુસાર, 'દરેક બોડી ડોનર મેડિકલ એજ્યુકેશનમાં યોગદાન આપીને ભવિષ્યના ડોકટરોને તાલીમ આપવામાં અને જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.' એસોસિએશને કહ્યું કે, 'મૃતદેહોની મજાક ઉડાવવી કે તેમને હળવાશથી લેવા સ્વીકાર્ય નથી અને તેનાથી મેડિકલ શિક્ષણની ગરિમા ઓછી થાય છે.' AIMSA એ સંબંધિત લોકો પાસેથી તાત્કાલિક માફી માંગવા અને કડક કાર્યવાહીની માંગ કરી. એસોસિએશને ચેતવણી આપી કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે કાનૂની કાર્યવાહી કરી શકે છે. મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમે FIR નોંધી મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમે કોમેડિયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગડા, ડો. સેજલ પવાર અને તેમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. FIR ઇન્ડિયન પીનલ કોડ (IPC) 2023 ની અલગ-અલગ કલમો અને IT એક્ટ 2000 ની કલમ 67 હેઠળ નોંધવામાં આવી છે. આરોપ છે કે શો અને તેનાથી સંબંધિત ઓનલાઈન વીડિયોમાં મહિલાઓ, સંમતિ અને મૃત લોકો વિશે વાંધાજનક ટિપ્પણીઓ હતી. નોંધનીય છે કે, '370 રૂપિયાની બિરયાની' વાળા વીડિયો પછી કોમેડિયન પ્રણિત મોરેના શોનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જૂના વીડિયોમાં સેજલ પવાર નામની એક MBBS સ્ટુડન્ટે કહ્યું હતું કે, તે અને તેના સાથી મેડિકલ સ્ટુડન્ટ્સ કોલેજ (KEM હોસ્પિટલ, મુંબઈ)માં મેડિકલ રિસર્ચ અને ડિસેક્શન માટે દાન કરાયેલા પુરુષોના મૃતદેહોના પ્રાઈવેટ પાર્ટ્સને જોતા અને તેમની મજાક ઉડાવતા હતા. વિવાદ વધવાની સાથે સેજલે માફી માંગતા કહ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય.
    Click here to Read more
    Prev Article
    People’s will to put an end to YSRCP’s ‘era of arrogance’ gave new direction to democratic process, says Pawan Kalyan
    Next Article
    iPhone 18 Pro Expected To Launch in September 2026: Expected Features, Colour Options, Camera Specs and Price Revealed

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment