Armeniaમાં Russiaની રમતથી તુર્કી અને અઝરબૈજાનને પડ્યો મોટો ફટકો, જાણો શુ છે મામલો?
4 hours from now
પશિન્યાનની પાર્ટી આર્મેનિયાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. ચૂંટણી દરમિયાન વિવાદીત માહોલ આર્મેનિયાની ચૂંટણીમાં પશિન્યાનની પાર્ટીને 49 ટકા મત મળ્યા હતા. જોકે, પશિન્યાન લોકમત માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. હવે, પશિન્યાન ઇચ્છે તો પણ તુર્કી અને અઝરબૈજાન સાથે સંબંધો સુધારવામાં અસમર્થ રહેશે. રશિયાના કારણે તુર્કી અને અઝરબૈજાનને આર્મેનિયામાં મોટો ફટકો પડ્યો છે. જેના કારણે આર્મેનિયા અઝરબૈજાન અને તુર્કી સાથે સંબંધો સામાન્ય કરી શક્યું નહીં. પશિન્યાનની પાર્ટીને રશિયા વિરોધી માનવામાં આવે છે. રશિયાએ પશિન્યાનને રોકવા માટે આર્મેનિયન ચૂંટણીમાં પોતાની તાકાત લગાવી હતી. તુર્કી-અઝરબૈજાન સંબંધો સુધરશે નહીં. અઝરબૈજાન અને તુર્કી આર્મેનિયાના પડોશી છે. 2023 પહેલા, અઝરબૈજાન અને આર્મેનિયા સરહદ પર યુદ્ધમાં હતા. તુર્કીએ અઝરબૈજાનનો પક્ષ લીધો, જેના પરિણામે આર્મેનિયાની કારમી હાર થઈ. અંતે, અમેરિકાના કહેવાથી, આર્મેનિયાએ અઝરબૈજાન સાથે કરાર કર્યો હતો. આ કરારનું પાલન કરવા અને તુર્કી સાથે વેપાર વધારવા માટે, પશિન્યાનના પક્ષને બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. જોકે, ચૂંટણીમાં પક્ષને 50 ટકાથી ઓછા મત મળ્યા હતા. છેલ્લી વખતે, પશિન્યાનના પક્ષને 54 ટકા મત મળ્યા હતા. આર્મેનિયા કેમ મહત્વપૂર્ણ ? આર્મેનિયા તુર્કી, ઈરાન અને અઝરબૈજાન જેવા દેશો સાથે સરહદો ધરાવે છે. યુરોપ અને એશિયા વચ્ચેના તેના સ્થાનને કારણે તેનું મહત્વ વધુ વધે છે. આર્મેનિયા અગાઉ રશિયાનો નજીકનો સાથી હતો, પરંતુ 2023 પછી, તેણે પક્ષ બદલી નાખ્યો. રશિયા પહેલાથી જ મધ્ય પૂર્વમાં સીરિયા જેવો દેશ ગુમાવી ચૂક્યું છે. હવે, જો આર્મેનિયા સંપૂર્ણપણે તેના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે. તો ઈરાનનો તણાવ વધી શકે છે. આ પણ વાંચોઃ Nepal પીએમ Balen Shahએ ભારત સાથેના સરહદ વિવાદ મામલે ધારણ કર્યુ મૌન, જાણો કોણે કરાવ્યા ચૂપ?
Click here to Read more