Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Oman Ship Attack: જહાજ પર ડ્રોન હુમલો થતા લાગી આગ, તમામ 24 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    4 hours from now

    1

    0

    આ ડ્રોન હુમલામાં 24 ભારતીય ખલાસીઓ બચી ગયા છે. હુમલા બાદ, જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ થયો હતો. ડ્રોન હુમલાથી સ્થિતિ વણસી ઓમાન કિનારે હોર્મુઝ સ્ટ્રેટમાં MT મેરીવેક્સ કાર્ગો જહાજ પર હુમલો થયો હતો. તેમાં ઓછામાં ઓછા 24 ભારતીય ખલાસીઓ સવાર હતા. આ હુમલાને કારણે એન્જિન રૂમમાં આગ લાગી હતી અને જહાજ પાણીથી ભરાવા લાગ્યું હતું. હાલમાં બધા ખલાસીઓ સુરક્ષિત છે, અને ઘટનાસ્થળે બચાવ અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના પશ્ચિમ એશિયામાં વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે થઇ છે. જ્યાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી દુશ્મનાવટ જોવા મળી છે. ખલાસીઓને બહાર કાઢવામાં મુશ્કેલી પરિસ્થિતિ વધુ વણસી જતાં, ક્રૂએ ઇમરજન્સી કોલ કર્યા. ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઇન્ડિયાએ હુમલાની પુષ્ટિ કરી હતી. યુનિયને જણાવ્યું હતું કે, ભારતીય ખલાસીઓ જહાજ પર હતા. હુમલામાં જહાજની લાઇફબોટને પણ નુકસાન થયું હતું, જેના કારણે ખલાસીઓને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. હાલમાં રાહત અને બચાવ કામગીરી શરુ છે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના શિપિંગ વિભાગના ડિરેક્ટરે જણાવ્યું હતું કે બપોરે MT મેરિવેક્સ જહાજમાં આગ લાગી હતી. 24 ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાનું તેઓએ કહ્યુ હતુ. મંત્રાલયની પરિસ્થિતિ પર સતત નજર ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલય, વિદેશમાં ભારતીય મિશન, ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સાથે સંકલન જાળવવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ અને જહાજને થયેલા નુકસાનનું હાલમાં મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, નવી માહિતી ઉપલબ્ધ થતાં જ તે શેર કરવામાં આવશે. આ પણ વાંચોઃ  અયોધ્યા રામ મંદિરમાં આવતું કરોડોનું દાન ગાયબ, અખિલેશ યાદવના આરોપ પર મંદિર ટ્રસ્ટનો જવાબ
    Click here to Read more
    Prev Article
    Jaipur Demolition: નૂરાની મસ્જિદ જમીનદોસ્ત, 3000 પોલીસકર્મીઓ રહ્યા હાજર
    Next Article
    Supreme Court seeks CBSE response over Gulf students’ Class 12 blank marksheets

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment