નવી દિલ્હી : મહારત્ન દરજ્જા માટે જરૂરી નફાકારકતાના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર દ્વારા પીએસયુ સાહસો ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેઈલ)ને એક વર્ષના સમીક્ષા સમયગાળા હેઠળ મૂકવામાં આવ્યા છે.જો આ સમીક્ષા સમયગાળા દરમિયાન કંપનીઓ નાણાકીય કામગીરીમાં સુધારો નહીં થાય, તો બે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ને નવરત્ન દરજ્જામાં ડાઉનગ્રેડ કરી શકાય છે, જેનાથી તેમના બોર્ડને હાલમાં ઉપલબ્ધ સ્વાયત્તતામાં ઘટાડો થઈ શકે છે.ભારતના ૧૪ મહારત્ન કંપનીઓમાં ભેલ અને સેઈલ એકમાત્ર બે કંપનીઓ છે, જે પાછલા ત્રણ વર્ષ દરમિયાન રૂ.૫૦૦૦ કરોડથી વધુનો સરેરાશ વાર્ષિક કરવેરા બાદનો નફો (ચોખ્ખો નફો) જાળવવાની જરૂરિયાને પૂર્ણ કરતી નથી. મહારત્ન તરીકે લાયક બનવા માટે, કેન્દ્રિય જાહેર ક્ષેત્રના સાહસ (સીપીએસઈ) પાસે રૂ.
Click here to Read more


