NEET RE-Exam : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે આપ્યા નિર્દેશ
2 weeks ago
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના તમામ મુખ્યમંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકોને પત્ર લખીને 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃ પરીક્ષા નિષ્પક્ષ, સરળ અને સફળ રીતે યોજાય તે માટે સહકાર આપવા અપીલ કરી છે. હાલ ચાલી રહેલી ભારે ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને ઉમેદવારોની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. પીવાનું પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તેમજ પરીક્ષા યોજનારી તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યું કે પીવાનું સ્વચ્છ પાણી, યોગ્ય બેસવાની વ્યવસ્થા, કાર્યરત પંખા અને કુલર, સ્વચ્છ શૌચાલય, છાંયાવાળા વેઇટિંગ એરિયા, સતત વીજ પુરવઠો અને જરૂર પડે ત્યાં પોર્ટેબલ ટોયલેટ જેવી સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ કરાવવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તે બાબત પર પણ તેમણે ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓને અવર-જવર માટે કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવા અપીલ કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને પરીક્ષા દિવસે વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ રાજ્ય સરકારો NEET (UG) 2026ની પુનઃ પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવામાં સંપૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો : Marco Rubio Taj Mahal visit: અમેરિકી વિદેશ મંત્રીની તાજમહેલ સાથેની તસવીર પર ઈરાનનો કટાક્ષ, જાણો શુ કહ્યુ?
Click here to Read more