Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Omanની ખાડીમાંથી ભારતીય જહાજ સુરક્ષિત બંદર પર પહોંચતા રાહતનો શ્વાસ

    3 hours from now

    1

    0

    ઓમાનની ખાડીમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ઓઇલ ટેન્કર 'લિયાકી ફ્રીડમ' પર હુમલાની અને ચાર ભારતીયોના મોતના જે અહેવાલો વહેતા થયા હતા, તે સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે. ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે જહાજના કેપ્ટન સાથે સીધી વાતચીત કરીને પુષ્ટિ કરી છે કે જહાજ અને તેના પર સવાર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. આ જહાજ હાલમાં ઓમાનના શિનાસ બંદર પર પહોંચી ચૂક્યું છે.જો માર્શલ આઇલેન્ડનો ધ્વજ ધરાવતા આ જહાજ પર હુમલાની વાત સાચી પડી હોત, તો એક જ અઠવાડિયામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલાની આ ચોથી ઘટના હોત.ઓમાનની ખાડીમાં વ્યાપારી જહાજો પર સતત હુમલા છેલ્લા કેટલાક દિવસોથી હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં વ્યાપારી જહાજો પર સતત હુમલા થઈ રહ્યા છે. ગત 10 જૂનના રોજ પલાઉ દેશનો ધ્વજ ધરાવતા 'MT સેટેબેલો' પર ભયાનક હુમલો થયો હતો, જેમાં ત્રણ ભારતીય નાવિકો - ચીફ એન્જિનિયર પતનાલા સુરેશ, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ડેક કેડેટ આદિત્ય શર્માના મોત થયા હતા. આ સિવાય 'MT મેરીવેક્સ' અને ગિની-બિસાઉના ધ્વજવાળા 'MT જલવીર' પર પણ હુમલા થયા હતા.અમેરિકી સેનાએ સ્વીકાર્યું છે કે ઇરાન પર દબાણ લાવવા માટે તેઓ આ વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે, જે અંતર્ગત અમેરિકી વિમાનોએ 'MT જલવીર' ના એન્જિન રૂમ પર મિસાઇલો દાગી હતી, જોકે સદનસીબે તેના 20 ભારતીય નાવિકોનો આબાદ બચાવ થયો હતો. એટલું જ નહીં, ગુરુવારે કોચ્ચિ નજીક 'ઓલિમ્પિક લાઇફ' નામના ટેન્કરમાંથી એક જીવતી મિસાઇલનો ભાગ મળી આવતા ભારતીય નૌસેનાએ તેને ડિફ્યુઝ કર્યો હતો, જે દર્શાવે છે કે આ યુદ્ધની આંચ હવે ભારતીય સમુદ્રી સરહદ સુધી પહોંચી રહી છે.ભારતનો કડક વિરોધઅમેરિકી નૌસેનાની આ આક્રમક કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત પર ભારતે સખત નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરીને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ શિપિંગ (વ્યાપારી જહાજો) પર આવા જીવલેણ હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર સુરક્ષા અને મુક્ત અવરજવર જળવાઈ રહેવી જોઈએ. હાલમાં ખાડી દેશોના રૂટ પરથી પસાર થતા તમામ ભારતીય નાવિકોને અત્યંત સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો:AI Water Crisis : 130 કરોડ લોકોના હિસ્સાનું પાણી ગટગટાવી જશે AI, વિશ્વભરમાં ડેટા સેન્ટરો વિરુદ્ધ વિરોધ!
    Click here to Read more
    Prev Article
    પીએમ મોદીનો 7મી વખત ફ્રાન્સ પ્રવાસ:G7 સમિટમાં ભાગ લેશે, ટ્રમ્પ સાથે મુલાકાત થઈ શકે છે; પેરિસ પણ જશે
    Next Article
    Budhaditya Yog: અધિક માસની અમાસ પર સૂર્ય-બુધની યુતિથી રચાશે બુધાદિત્ય યોગ

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment