RBI MPC Live: આજે RBI ધિરાણનીતિ જાહેર, રેપો રેટ કોઈ ફેરફાર નહીં, 5.25 ટકા પર યથાવત્
1 day ago
RBI MPC Meeting Announce: આજે ભારતીય રિઝર્વ બેંકની દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર થવાની છે. આરબીઆઈ રેપો રેટ જેવા નીતિગત વ્યાજદર ઘટાડી લોનધારકોને રાહત આપશે કે નહીં તેના પર સામાન્ય વ્યક્તિથી લઇ શેરબજારો અને આર્થિક નિષ્ણાંતોની નજર છે. ઉલ્લેખનિય છે કે, મધ્યસ્થ બેંક ફેબ્રુઆરી અને એપ્રિલ 2026ની મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખી લોનધારકોને નિરાશ કર્યા હતા. RBI દ્વારા દર બે મહિને ધિરાણનીતિની સમીક્ષા રિઝર્વ બેંક મોનેટરી પોલિસી મિટિંગમાં દર બે મહિને નીતિગત વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે 3 થી 5 જૂન દરમિયાન આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીના સભ્યોની બેઠક યોજાઇ હતી. RBIની મોનેટરી પોલિસીમાં ગવર્નર સંજ મલ્હોત્રા સહિત કુલ 6 સભ્યો છે. આ અગાઉ ફેબ્રુઆરી 2026માં આરબીઆઈની મોનેટરી પોલિસી મિટિંગ યોજાઇ હતી. ફેબ્રુઆરી અને એપ્રિલની મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખ્યા આરબીઆઈ એ ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાની દ્વિમાસિક ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સહિત તમામ વ્યાજદર સ્થિર રાખતા લોનધારકો નિરાશ થયા હતા.
Click here to Read more

