Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    TMC રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરનું રાજીનામું, પાર્ટી પણ છોડી:દાવો- લોકસભાના 20 સાંસદો પણ મમતાથી અલગ થઈ શકે છે, દિલ્હીમાં બેઠક કરી

    2 hours ago

    1

    0

    તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે સોમવારે રાજ્યસભાની સદસ્યતા અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું. સુખેન્દુ સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાજીનામું સુપરત કર્યું. ત્યારબાદ મીડિયા સાથેની ચર્ચામાં તેમણે પાર્ટીના કામકાજ અને નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરી. જોકે, સુખેન્દુનું આગળનું પગલું શું હશે, હાલ તેની કોઈ માહિતી સામે આવી નથી. આ તરફ, લોકસભાના પણ 20 સાંસદો મમતાથી અલગ થવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સુખેન્દુ સાથે એક મીટિંગ કરી છે. 5 નામ સામે આવ્યા છે, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે લોકસભામાં TMCના 28 અને રાજ્યસભામાં 13 સાંસદો છે. છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાક્રમમાં બંગાળના 80માંથી 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. રાજીનામામાં ભાજપના વખાણ, TMCની પોલ ખોલી પોતાના રાજીનામામાં સુખેન્દુએ તાજેતરમાં થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર માટે પાર્ટીની ટીકા કરી. આ જનાદેશને મમતાના 15 વર્ષના અરાજક શાસનનું પરિણામ ગણાવ્યું. વાંચો રાજીનામામાં લખેલી 4 મહત્વપૂર્ણ વાતો શું હતી… સુખેન્દુ બોલ્યા- હવે હું સામાન્ય માણસ છું, ઈચ્છું છું કે નવી સરકાર બધાની તપાસ કરે પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સુખેન્દુએ કહ્યું કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર, પશ્ચિમ બંગાળમાં BJP સરકાર સત્તામાં આવી છે. વોટિંગ પર્સેન્ટ 98% પહોંચી ગયું. પાર્ટીએ તેના પર કોઈ ચર્ચા કરી નહીં. 15 વર્ષથી સત્તામાં રહેલા લોકો સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયા. અમારા પાર્ટી કાર્યકર્તાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા. તેના બદલે, વચેટિયાઓ, ચોરો, ડાકુઓ અને બળાત્કારીઓ આગળ આવી ગયા. કરોડો રૂપિયા લૂંટવામાં આવ્યા. હવે આ બધું સામે આવી રહ્યું છે. સુખેન્દુએ કહ્યું- હું હવે એક સામાન્ય નાગરિક છું. નવી સરકાર પાસે માગ કરી શકું છું કે તેઓ છેલ્લા 5 વર્ષમાં બંગાળની દરેક હોસ્પિટલમાં થયેલી ખરીદીની તપાસ કરે. ફોરેન્સિક ઓડિટ થવું જોઈએ. આપણા દેશમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. તે સમયે, નેતાઓ અને પ્રશાસકોએ આ વિશે કોઈ વિચાર-વિમર્શ કે ચર્ચા કરી ન હતી. પરંતુ જે લોકોએ તેમને ત્યાં મોકલ્યા હતા, તે જ લોકોએ હવે તેમને નીચે પાડી દીધા છે. તેથી બધાની તપાસ થવી જોઈએ. ----------------------- બંગાળ સંબંધિત આ સમાચાર પણ વાંચો… TMC નેતા જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ:તેના સમર્થકોએ મહિલાઓને ગૅંગરેપની ધમકી આપી હોવાનો દાવો; ફાલતા બેઠક પરથી ઉમેદવાર હતા પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે TMC નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ નેપાળ બોર્ડર પરથી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલતા પોલીસ સ્ટેશનમાં ખાન વિરુદ્ધ 7 FIR નોંધવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read more
    Prev Article
    हाय रे किस्‍मत! 12वीं में आए 83%, लेकिन आगे की पढ़ाई के लिए नहीं हैं पैसे, होटल में भी किया काम
    Next Article
    5 budget-friendly countries Indians can visit this July

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment