Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હવે દિલ્હીમાં પણ મમતાની પાર્ટીમાં ભંગાણ:TMCના રાજ્યસભાના સાંસદ સુખેન્દુનું રાજીનામું, CM શુભેન્દુ સાથે ભાજપ બંગાળ પ્રભારીને મળ્યા; 21 સાસંદો પણ સાથે

    3 hours ago

    1

    0

    ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો પણ મમતાનો સાથ છોડવાની તૈયારી કરી રહ્યા છે. સોમવારે બપોરે 21 સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે બેઠક કરી. આ દરમિયાન બંગાળના સીએમ શુભેન્દુ અધિકારી અને સુખેન્દુ શેખર પણ હાજર રહ્યા. આ બેઠકની એક તસવીર સામે આવી, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તી જોવા મળ્યા. લોકસભામાં TMCના 28 અને રાજ્યસભામાં 13 સાંસદો છે. તાજેતરના ઘટનાક્રમમાં બંગાળના 80માંથી 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ તરફ, TMCના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખરે રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપી દીધું અને પાર્ટી પણ છોડી દીધી. પોતાના રાજીનામા પત્રમાં તેમણે મમતાના 15 વર્ષના અરાજક શાસનને પાર્ટીની હારનું પરિણામ ગણાવ્યું અને ભાજપની પ્રશંસા કરી. રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને સુખેન્દુ શેખરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. સુખેન્દુનો દાવો- TMCના લોકો મમતાથી નારાજ સુખેન્દુએ રાજીનામા બાદ મીડિયાને કહ્યું હતું કે પાર્ટીના ઘણા લોકો મમતા મનસ્વી રીતે પાર્ટી ચલાવી રહ્યા હતા, આ જ કારણોસર તેમણે રાજીનામું આપી દીધું. રાજીનામું સોંપ્યા બાદ સુખેન્દુએ કહ્યું બંગાળના ઇતિહાસમાં પહેલીવાર, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે. વોટિંગ પર્સેન્ટ 98% પહોંચી ગયું. પાર્ટીએ તેના પર કોઈ ચર્ચા કરી નહીં. સુખેન્દુ બોલ્યા- 15 વર્ષથી સત્તામાં રહેલા લોકો સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયા. અમારા પાર્ટી કાર્યકર્તાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા. તેના બદલે દલાલો, ચોર, લૂંટારુઓ અને બળાત્કારીઓ આગળ આવી ગયા. કરોડો રૂપિયા લૂંટવામાં આવ્યા. હવે આ બધું સામે આવી રહ્યું છે. રાજીનામામાં ભાજપના વખાણ, TMCની પોલ ખોલી પોતાના રાજીનામામાં સુખેન્દુએ તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર માટે પાર્ટીની ટીકા કરી. આ જનાદેશને મમતાના 15 વર્ષના અરાજક શાસનનું પરિણામ ગણાવ્યું. વાંચો રાજીનામામાં લખેલી મહત્વની વાતો શું હતી… સુખેન્દુ બોલ્યા- હવે હું સામાન્ય માણસ છું, ઇચ્છું છું કે નવી સરકાર બધાની તપાસ કરે સુખેન્દુએ કહ્યું- હું હવે એક સામાન્ય નાગરિક છું. નવી સરકાર પાસે માગ કરી શકું છું કે તેઓ છેલ્લા 5 વર્ષમાં બંગાળની દરેક હોસ્પિટલમાં થયેલી ખરીદીની તપાસ કરે. ફોરેન્સિક ઓડિટ થવું જોઈએ. આપણા દેશમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. તે સમયે, નેતાઓ અને પ્રશાસકોએ આ અંગે કોઈ વિચાર-વિમર્શ કે ચર્ચા કરી ન હતી. પરંતુ જે લોકોએ તેમને ત્યાં મોકલ્યા હતા, તેમણે જ હવે તેમને નીચે પાડી દીધા છે. તેથી બધાની તપાસ થવી જોઈએ. બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બોલ્યા- સુખેન્દુની વાત ઘણી હદ સુધી સાચી છે સુખેન્દુ શેખરના રાજીનામા પર બંગાળમાં વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ કહ્યું કે આ માત્ર સુખેન્દુની અંગત વાત નથી. મેં સુખેન્દુ સાથે સીધી વાત કરી નથી, પરંતુ ટીવી પર તેમના નિવેદનો જોયા અને સાંભળ્યા છે. હું તેમની વાતો સાથે સહમત છું. રાજ્યસભાના કામકાજને લઈને સુખેન્દુની વાત ઘણી હદ સુધી સાચી છે. કાકોલી ઘોષે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું સુખેન્દુ પહેલાં બારાસાતથી TMC સાંસદ કાકોલી ઘોષ પણ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી ચૂક્યા છે. જોકે તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું નથી. પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષીને મોકલેલા પત્રમાં કાકોલીએ લખ્યું હતું કે માનસિક સંઘર્ષ અને લાંબા ચિંતન પછી આ નિર્ણય લીધો છે. કાકોલી ઘોષનું રાજીનામું તે બેઠક પછી આવ્યું હતું જેમાં તેઓ પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કલ્યાણીમાં સામેલ થયા હતા. આ પછી ભાજપ નેતા સૌમિત્ર ખાને દાવો કર્યો હતો કે જો ભાજપ ઇચ્છે તો આગામી કેટલાક દિવસોમાં TMC સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. --------------------------- બંગાળ સંબંધિત આ સમાચાર પણ વાંચો… TMC નેતા જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ:તેના સમર્થકોએ મહિલાઓને ગૅંગરેપની ધમકી આપી હોવાનો દાવો; ફાલતા બેઠક પરથી ઉમેદવાર હતા પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે TMC નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ નેપાળ બોર્ડર પરથી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલતા પોલીસ સ્ટેશનમાં ખાન વિરુદ્ધ 7 FIR નોંધવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read more
    Prev Article
    आजकल शादी से पहले संबंध बनाना आम… सुप्रीम कोर्ट ने आख‍िर क्‍यों की ये ट‍िप्‍पणी, 2 बाल‍िग के र‍िलेशनश‍िप पर और क्‍या कहा?
    Next Article
    खड़गे बोले-NEET में युवाओं से धोखा, शिक्षा मंत्री इस्तीफा दें:CJI को पत्र भी लिखेंगे, INDIA गठबंधन के सांसद मानसून सत्र में रोजाना बैठक करेंगे

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment