જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ મર્યાદા કરતા વધી જાય છે, ત્યારે સાંધામાં દુખાવો, અકડામણ અને સોજા જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જો આ સમસ્યાને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો તે ગાઉટ (Gout) નું સ્વરૂપ લઈ શકે છે. તમારા આહારમાં સામાન્ય ફેરફાર કરીને અને સવારે ખાલી પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરીને તમે આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.1. ગુણકારી આમળાનું સેવનઆમળા વર્ષોથી સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં અને યુરિક એસિડને સંતુલિત કરવામાં મદદ કરે છે.કેવી રીતે ઉપયોગ કરવો?દરરોજ સવારે ખાલી પેટે એક તાજું આમળું ખાઈ શકાય અથવા નવશેકા પાણીમાં આમળાનો પાવડર મિક્સ કરીને પી શકાય.2. વિટામિન-સી થી ભરપૂર લીંબુ પાણીલીંબુ પાણી શરીરમાં જમા થયેલા વધારાના યુરિક એસિડને ઓગાળવામાં અને તેને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.કેવી રીતે ઉપયોગ કરવો? સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવો. જો તમને સ્વાદ ગમતો હોય, તો તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.૩. ફાઈબરનો ખજાનો: અળસીના બીજઅળસીના બીજ (Flaxseeds) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને યુરિક એસિડ ઘટાડવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે.કેવી રીતે ઉપયોગ કરવો?એક ચમચી અળસીના બીજને રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે ખાલી પેટે આ બીજ ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી જાઓ.Disclaimer: આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.
Click here to Read more


