West Bengal : મમતા બેનર્જીના ઘરે બોલાવેલી બેઠક ફ્લોપ, 80માંથી માત્ર 20 ધારાસભ્ય રહ્યા હાજર
2 weeks ago
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદરનું સંકટ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી વિધાનસભા પક્ષની મહત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી હતી, કારણ કે 80માંથી માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. પૂરતો ક્વોરમ ન થવાને કારણે બેઠક સ્થગિત કરવી પડી હોવાનું જાણવા મળ્યું છે.પાર્ટીની એકતા પર પ્રશ્નો ઊભા થયા આ બેઠક વિધાનસભા પક્ષના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે પાર્ટી એક તરફ અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાઓને લઈને આક્રમક વલણ અપનાવી રહી છે. મળતી માહિતી મુજબ અનેક ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા ન હતા, કેટલાક સંપર્ક બહાર રહ્યા જ્યારે કેટલાકે ફોન પણ ઉપાડ્યા નહોતા. બીજી તરફ, ફિરહાદ હકીમ, નયના બંદ્યોપાધ્યાય, મદન મિત્રા, અસીમા પાત્રા અને કુંનાલ ઘોષ જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ કુલ હાજરી ઓછી રહેતાં પાર્ટીની એકતા પર પ્રશ્નો ઊભા થયા છે. TMC પ્રવક્તા કુંનાલ ઘોષે ઓછી હાજરીનું કારણ તાજેતરના રાજકીય હુમલાઓ બાદ નેતાઓની વ્યસ્તતા જણાવ્યું છે. જોકે રાજકીય વિશ્લેષકો તેને ડેમેજ કંટ્રોલના પ્રયત્નો ગણાવી રહ્યા છે. આંતરિક વિખવાદ TMC માટે ગંભીર સંકટનું સંકેત તાજેતરમાં પાર્ટીમાં રાજીનામાઓનો દોર પણ જોવા મળી રહ્યો છે. પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ સેન અને સાંસદ કાકોલી ઘોષ દસ્તિદાર સહિત કેટલાક નેતાઓએ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજકીય નિષ્ણાતોના મતે ઓછી હાજરી, રાજીનામા અને આંતરિક વિખવાદ TMC માટે ગંભીર સંકટનું સંકેત છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું મમતા બેનર્જી ફરી પાર્ટીને એકજૂટ કરી શકશે કે નહીં. આ પણ વાંચો : Ghaziabad Surya Murder Case: અસદના પિતા નવાબે હત્યા માટે ઉશ્કેર્યો, પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો
Click here to Read more
