Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મમતા સામે 58 ધારાસભ્યોએ બળવો કર્યો:ઋતબ્રત બેનર્જીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા; સ્પીકરને મળ્યા, સમર્થન પત્ર સુપરત કર્યો

    3 days ago

    1

    0

    પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાં ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને 58 બળવાખોર ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા જાહેર કર્યા. બુધવારે વિધાનસભા અધ્યક્ષ રથીન્દ્ર બોઝને સમર્થન પત્ર પણ સુપરત કર્યો. સૂત્રો અનુસાર, ઋતબ્રત બેનર્જી, સંદીપન સાહા અને અન્ય બળવાખોર ધારાસભ્યો સ્પીકરને મળ્યા અને 58 ધારાસભ્યોની સહીવાળો પત્ર જમા કરાવ્યો. બળવાખોર જૂથે પોતાના પત્રમાં મમતા બેનર્જીને હજુ પણ પાર્ટી અધ્યક્ષ ગણાવ્યા છે. પરંતુ તેઓ અભિષેક બેનર્જીના નેતૃત્વ અને ધારાસભ્ય દળ સંબંધિત નિર્ણયોને સ્વીકાર કરી રહ્યા નથી. બંગાળમાં થયેલી ચૂંટણીમાં ટીએમસીએ 80 બેઠકો જીતી હતી. જેમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું. દાવો કરવામાં આવી રહ્યો છે કે મમતા પાસે માત્ર 22 ધારાસભ્યો બચ્યા છે. TMCમાં ભંગાણની 3 સંભાવનાઓ… પહેલી: બે તૃતીયાંશ ધારાસભ્યો ભાજપમાં જોડાય. TMCના કુલ 80 ધારાસભ્યોમાંથી બે તૃતીયાંશ (54 ધારાસભ્યો) ભાજપમાં જોડાવાનો નિર્ણય લે. આવી સ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડશે નહીં. જોકે, ભાજપે ઇનકાર કર્યો છે. બીજી: TMC 2 જૂથોમાં વહેંચાઈ જાય. એક જૂથ પાર્ટીથી અલગ થઈને અસલી TMC હોવાનો દાવો કરે. આ માટે પણ 54 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જો આવું થાય તો મોટા જૂથના દાવા પર ચૂંટણી પંચ નિર્ણય લેશે. મામલો કોર્ટમાં પણ જઈ શકે છે. જોકે, આ માટે બે-તૃતીયાંશ એટલે કે 28માંથી 19 લોકસભા સાંસદોની પણ જરૂર પડશે. કોઈપણ પાર્ટીના બળવાખોર નેતાઓ માટે માત્ર વિધાનસભાની સંખ્યા જ નિર્ણાયક હોતી નથી. શિવસેના અને NCPના કિસ્સાઓમાં, ચૂંટણી પંચે માત્ર ધારાસભ્યોને જ જોયા ન હતા, પરંતુ એ પણ જોયું હતું કે કેટલા સાંસદો કોની સાથે છે, પાર્ટી સંગઠન કોની સાથે છે, અધિકૃત પદાધિકારીઓ કોની સાથે છે. જો નવો જૂથ સાંસદોને પોતાની તરફ ખેંચી ન શકે તો તેમને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ તો મળી શકે છે, પરંતુ પાર્ટીનું નામ અને ચિહ્ન મળી શકશે નહીં. જો TMCના ધારાસભ્યો તૂટી જાય, પરંતુ સાંસદો, સંગઠન, જિલ્લા અધ્યક્ષ, રાજ્ય સમિતિ અને પાર્ટી બંધારણનો નિયંત્રણ મમતા પાસે રહે, તો બળવાખોર જૂથને નવો પક્ષ બનાવવો પડી શકે છે. ત્રીજો: નવો જૂથ અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવી શકે છે. આ માટે પણ 54 ધારાસભ્યોને એકસાથે TMC છોડીને નવી પાર્ટીમાં સામેલ થવું પડશે. TMCથી અલગ જૂથની માગ કરનારા બે મોટા ચહેરા… આ મામલે બંધારણ શું કહે છે જો કોઈ રાષ્ટ્રીય/રાજ્ય સ્તરની પાર્ટીના ધારાસભ્યો બળવાખોર બની જાય, તો તેઓ સીધા પાર્ટી પર દાવો કરી શકતા નથી. આ મામલો મુખ્યત્વે દસમી અનુસૂચિમાં આપેલા પક્ષપલટા કાયદા, પાર્ટી સંગઠનના બંધારણ અને ચૂંટણી પંચના નિયમોથી નક્કી થાય છે. 91મા બંધારણીય સુધારા (2003) પછી ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ધારાસભ્યો મૂળ પક્ષથી અલગ થવાનો નિર્ણય લે છે, તો તેમને ગેરલાયકાતમાંથી મુક્તિ મળી શકે છે. ત્યારબાદ ચૂંટણી પંચ તપાસ કરે છે કે પક્ષ પર સાચો નિયંત્રણ કોનો હશે. આ માટે 4 મુદ્દા નક્કી છે… છેલ્લા 12 દિવસમાં બનેલી ઘટના, જેના કારણે TMCમાં ભંગાણના રસ્તા બન્યા 31 મે - મમતાની બેઠકમાં 80માંથી 60 ધારાસભ્યો ન પહોંચ્યા: મમતાએ TMC ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ 80માંથી માત્ર 20 ધારાસભ્યો જ પહોંચ્યા. 60 ધારાસભ્યો ન આવતાં બેઠક મુલતવી રાખવામાં આવી. TMC પ્રવક્તા કુનાલ ઘોષે કહ્યું કે તમામ ધારાસભ્યો અભિષેક બેનર્જી પર થયેલા હુમલાના વિરોધમાં પ્રદર્શનની તૈયારીમાં વ્યસ્ત છે. 31 મે - સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો: સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે હુગલીમાં પોલીસ સ્ટેશનની બહાર BJP સમર્થકોએ તેમના પર હુમલો કર્યો, જેનાથી તેઓ ઘાયલ થયા. તેમણે કહ્યું કે અહીં ભગવા કપડાં પહેરેલા 10-15 BJPના ગુંડાઓ હતા, જેમણે અચાનક નારા લગાવ્યા, મને ગાળો આપી અને પથ્થરથી હુમલો કર્યો. 30 મે- સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો: દક્ષિણ સોનારપુરમાં અભિષેક બેનર્જી પર હુમલો થયો હતો. તેમના પર ઇંડા અને ચપ્પલ પણ ફેંકવામાં આવ્યા હતા. અભિષેકે આરોપ લગાવ્યો કે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 27 મે- સાંસદ કાકોલીનું રાજીનામું: બંગાળના બારાસાતથી TMC સાંસદ કાકોલી ઘોષે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા પહેલા કાકોલી CM શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. 20 મે - પક્ષના કાર્યક્રમમાં માત્ર 35 ધારાસભ્યો પહોંચ્યા: કોલકાતામાં વિધાનસભા પરિસરમાં આંબેડકર પ્રતિમા પાસે TMCના કેટલાક ધારાસભ્યોએ પોસ્ટ-પોલ હિંસા અને ફેરિયાઓને હટાવવાના અભિયાનો વિરુદ્ધ ધરણા કર્યા હતા. વિધાનસભા ચૂંટણી હાર્યા પછી આ પક્ષનો પહેલો મોટો સંગઠિત વિરોધ પ્રદર્શન હતો, પરંતુ તેમાં પણ માત્ર 35 ધારાસભ્યો જ પહોંચ્યા હતા.
    Click here to Read more
    Prev Article
    24x7 जिम से लेकर लेडीज स्पेशल फिटनेस सेंटर तक, मुरादाबाद के टॉप-5 जिम की पूरी लिस्ट, जानिए सुविधाएं
    Next Article
    फांसी, उम्र कैद या फिर... पेपर लीक करने वालों को क्या सजा देनी चाहिए? बताएं अपनी राय

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment