વનકર્મીઓ, અગ્નિશામકો, આર્મીના જવાનો અને એરફોર્સના હેલિકોપ્ટર આખી રાત આગ બુઝાવવા માટે કામ કરતા રહ્યા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ કસૌલીની ટેકરીઓ પર ધુમાડાના વાદળો છવાયા હતા. જંગલની આગ એરફોર્સ સ્ટેશન સુધી પહોંચી હતી. વન વિભાગ અને ફાયરફાઇટર્સ લાચાર હતા. એરફોર્સના બે Mi-17 અને ચિનૂક હેલિકોપ્ટરની મદદથી આખરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આ માત્ર એક આગ નહોતી. તે એક દુર્ઘટના છે જે દર વર્ષે મે અને જૂનમાં હિમાચલ પ્રદેશના જંગલો, વન્યજીવ અને આસપાસના સમુદાયોને પરેશાન કરે છે. આગ પર કાબૂ મેળવવો હતો મુશ્કેલ કસૌલીમાં આગ લાગી અને રાત્રિ સુધીમાં તે ભીષણ આગમાં ફેરવાઈ ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આગ એરફોર્સ સ્ટેશન સુધી પહોંચી ગઈ. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. કસૌલી કેન્ટોનમેન્ટ બોર્ડ ફાયર બ્રિગેડ અને એરફોર્સ સ્ટેશન ફાયર બ્રિગેડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કાબુમાં લઈ શક્યા નહીં. આ પછી, કુથડ અને પરવાનોથી ફાયર બ્રિગેડના વાહનો બોલાવવામાં આવ્યા. આગ કાબુ બહાર જણાતાં વહીવટીતંત્રે સેનાની મદદ માંગી. સેનાના જવાનોએ પણ આખી રાત આગ ઓલવવા માટે કામ કર્યું હતુ. જંગલમાં આગ કેમ ઝડપથી ફેલાઇ ? હિમાચલ પ્રદેશના જંગલો પાઈન વૃક્ષોથી ભરપૂર છે. જે ખૂબ જ જ્વલનશીલ છે. એકવાર આગ લાગી જાય પછી, તે પવન સાથે ઝડપથી ફેલાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેઓ આગ પકડી લે છે. ઉનાળાની ઋતુ દરમિયાન, સોલન અને કસૌલીમાં તાપમાન 34 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. હિમાચલ પ્રદેશ વન વિભાગ 15 એપ્રિલથી 15 જૂન સુધી જંગલને આગ લાગવા માટે ખૂબ જ સંવેદનશીલ માને છે. જંગલની સૂકી માટી પણ છે કારણભૂત આ સમય દરમિયાન જંગલની માટી સૂકી રહે છે. તાપમાન જમીનમાં ભેજને ખતમ કરી નાખે છે, જેના કારણે એક નાનો તણખલો પણ સળગી શકે છે. જોરદાર પવન આગમાં બળતણ તરીકે કામ કરે છે, જેનાથી તેને એટલી ભીષણ બનાવી દે છે કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની જાય છે. અગ્નિશમન દળ જંગલો અને પહાડી વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકતું નથી. આગ બુઝાવવાના પ્રયાસો શરૂ થાય ત્યાં સુધીમાં તે ફેલાઈ ચૂકી હોય છે. આ પણ વાંચોઃ Tarique Rahmanની પાર્ટી BNPમાં આંતરિક કલેશ, ચૂંટણીના 3 મહિનામાં જ પક્ષ બેકફૂટ પર!
Click here to Read more