NEET Paper Leak 2026 News: વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર મનીષ મંધારેને મોકલાઇ 14 દિવસના CBI કસ્ટડીમાં
4 weeks ago
કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. પુણેની રહેવાસી મનીષાની મથુરામાં ધરપકડ કરાઇ હતી. વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસરની ધરપકડ CBIએ NEET પેપર લીક કેસના આરોપી મનીષા મંધારેને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે મનીષાને 14 દિવસની CBI કસ્ટડીમાં મોકલ્યા હતા. મનીષા વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર છે. મહારાષ્ટ્રના પુણેમાં વનસ્પતિશાસ્ત્રના શિક્ષક મંધારેની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBIએ ઉત્તર પ્રદેશના મથુરાની હોટલમાંથી તેમની ધરપકડ કરી હતી. દિલ્હીમાં વ્યાપક પૂછપરછ બાદ, CBIએ મંધારેને સ્પેશિયલ CBI જજ સમક્ષ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી લીધી મોટી લાંચકેન્દ્રીય તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, આરોપીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ મળી હતી. દિલ્હીમાં તેની ધરપકડ અને પૂછપરછ બાદ, CBIએ મંધારેને ખાસ CBI જજ સમક્ષ રજૂ કરાઇ હતી. CBIએ કોર્ટને જાણ કરી કે, NTAની સમગ્ર પ્રક્રિયા હાલમાં તપાસ હેઠળ છે. પ્રારંભિક તપાસની વિગતો દર્શાવે છે કે મંધારેએ પરીક્ષાના પ્રશ્નો લીક કરવાના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી મોટી લાંચ લીધી હતી. શુ હતો મામલો ? એજન્સીની કહવુ છે કે, આ કામગીરીમાં આંતરિક વ્યક્તિઓ, વચેટિયાઓ અને ઉમેદવારો સામેલ હતા. જેમણે સંભવિત પરીક્ષાના પ્રશ્નો માટે મોટી રકમ ચૂકવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી ફરિયાદ મળ્યા બાદ CBIએ 12 મે, 2026 ના રોજ સત્તાવાર રીતે કેસ નોંધ્યો હતો. પરીક્ષા 21 જૂને ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. પી.વી. કુલકર્ણી રસાયણશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે ઘણા વર્ષો સુધી NEET પ્રશ્નપત્ર તૈયાર કરતી સમિતિઓમાં કામ કર્યું હતું. આ પણ વાંચોઃ Donald Trumpના $400 મિલિયન બોલરૂમ પ્રોજેક્ટને પડ્યો ફટકો સેનેટે અટકાવ્યું ભંડોળ
Click here to Read more