વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમની પાંચ દેશોની અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક વિદેશ યાત્રા પૂર્ણ કરી છે. ભારતમાં વિદેશી સીધા રોકાણ (FDI) ને પ્રોત્સાહિત કરવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત કરવાના આશય સાથે યોજાયેલી આ રાજદ્વારી મુલાકાત દેશ માટે આર્થિક મોરચે અભૂતપૂર્વ સફળતા લઈને આવી છે. આ પ્રવાસના સકારાત્મક પરિણામ સ્વરૂપે, વૈશ્વિક કંપનીઓ અને સોવરિન વેલ્થ ફંડ્સ તરફથી ભારતમાં વિવિધ ક્ષેત્રો માટે આશરે ₹3.5 લાખ કરોડ (લગભગ $40 બિલિયન) ના રોકાણ પ્રસ્તાવોને લીલી ઝંડી મળી ગઈ છે. આ પ્રચંડ આર્થિક રોકાણથી દેશના જીડીપી (GDP) ગ્રોથને નવી ગતિ મળશે, સ્થાનિક સ્તરે રોજગારીની લાખો તકોનું સર્જન થશે અને સાથે જ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને પણ મજબૂતાઈ મળશે.$૩ ટ્રિલિયનની આર્થિક શક્તિ ધરાવતી કંપનીઓ સાથે સીધો સંવાદઆ વ્યૂહાત્મક મુલાકાત દરમિયાન, વડાપ્રધાને વિશ્વની 50 થી વધુ ટોચની બહુરાષ્ટ્રીય કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEOs) અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી.કંપનીઓનું કદ: આ બેઠકોમાં સામેલ થયેલી વૈશ્વિક કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય આશરે $2.7 ટ્રિલિયનથી $3 ટ્રિલિયન જેટલું વિશાળ છે, જે આ પ્રવાસના વ્યાપારી મહત્વને દર્શાવે છે.હાલની સ્થિતિ: આ યાદીમાં સામેલ મોટાભાગની કંપનીઓ ભારતમાં પહેલેથી જ સક્રિય છે અને ભારતીય બજારમાં તેમનું વર્તમાન રોકાણ આશરે $180 બિલિયન જેટલું છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના મજબૂત આર્થિક ગ્રોથ રેટ અને સતત વધી રહેલી આંતરિક ગ્રાહક માંગને જોતાં આ કંપનીઓ હવે ભારતમાં પોતાના બિઝનેસ ઓપરેશન્સનો મોટા પાયે વિસ્તાર કરવા આતુર છે.આ રોકાણ કયા ક્ષેત્રોમાં કરવામાં આવશે?આ પ્રવાસ દરમિયાન થયેલી મંત્રણાઓ માત્ર આશ્વાસન પૂરતી સીમિત નથી, પરંતુ આગામી સમયમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ પાવર અને હાઇ-ટેક ટેકનોલોજી જેવા દેશના ચાવીરૂપ અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ તરીકે જમીન પર ઉતરશે.યુએઈ (UAE) ની મોટી જાહેરાત: આ પ્રવાસની સૌથી મોટી સફળતાઓમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી મળેલી પ્રતિબદ્ધતા છે. UAE એ ભારતમાં પાયાની સુવિધાઓ અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે $૫ બિલિયન (આશરે ₹45000 કરોડ) ના નવા રોકાણની સત્તાવાર જાહેરાત કરી છે.વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત શાખની મહોરવરિષ્ઠ સરકારી અધિકારીઓ અને આર્થિક વિશ્લેષકો આ પ્રવાસના પરિણામોને વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર પ્રત્યે વધેલા અતુટ વિશ્વાસ તરીકે જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે ગમે તેવા ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ ચાલતા હોય, પરંતુ વૈશ્વિક રોકાણકારો માટે ભારત આજે પણ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી સુરક્ષિત, સ્થિર અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. પીએમ મોદીના આ પ્રવાસે એ સાબિત કર્યું છે કે ભારતની આર્થિક વિકાસ યાત્રાને વિશ્વ સ્તરે સબળ સમર્થન મળી રહ્યું છે.આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી
Click here to Read more
