Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદતું રહેશે:સરકારે કહ્યું- અમેરિકાના પ્રતિબંધોની અસર નહીં; ફસાયેલા જહાજોમાંથી તેલ ખરીદવા માટે USની 30 દિવસની રાહત

    3 weeks ago

    1

    0

    અમેરિકા તરફથી મળતી પ્રતિબંધોની છૂટછાટ સમાપ્ત થયા પછી પણ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે અમેરિકી પ્રતિબંધોથી અમારા ઈમ્પોર્ટ પ્લાન પર કોઈ અસર નહીં થાય. આ દરમિયાન વૈશ્વિક સપ્લાય સંકટને ધ્યાનમાં રાખીને અમેરિકી ટ્રેઝરી વિભાગે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના જહાજો પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસનું અસ્થાયી લાઇસન્સ જારી કર્યું. અમેરિકી ટ્રેઝરી મંત્રી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની જાણકારી આપી. બેસેન્ટના મતે આનાથી વધારાની સરળતા રહેશે. આ સામાન્ય લાઇસન્સ ક્રૂડ ઓઇલના બજારને સ્થિર કરવા અને ઊર્જાની દ્રષ્ટિએ સંવેદનશીલ દેશો સુધી તેલની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. મે મહિનામાં દરરોજ રેકોર્ડ 23 લાખ બેરલ ક્રૂડ આવ્યું સુજાતા શર્માએ કહ્યું કે આ મામલે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. ભારત અમેરિકાની છૂટ મળતા પહેલા પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું હતું, છૂટ દરમિયાન પણ ખરીદ્યું અને ભવિષ્યમાં પણ તેને ચાલુ રાખશે. સરકારે દેશની જરૂરિયાત મુજબ પહેલેથી જ ક્રૂડ ઓઇલના પર્યાપ્ત પુરવઠાની વ્યવસ્થા કરી લીધી છે, તેથી દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ કમી નથી. આંકડા દર્શાવે છે કે ભારતે મે મહિનામાં રશિયા પાસેથી દરરોજ રેકોર્ડ 23 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી. અમેરિકાએ 16 મે સુધી રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપી હતી વિશ્વભરમાં તેલના ભાવ ન વધે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સામાન્ય રહે તે માટે અમેરિકાએ માર્ચમાં ભારત જેવા દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે વિશેષ છૂટ આપી હતી. પહેલા આ છૂટ 16 મે સુધી લંબાવવામાં આવી હતી. જો કે, જ્યારેથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી અમેરિકા ભારત પર સતત દબાણ કરી રહ્યું છે કે તે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ઓછું કરી દે. ઘરેલું બજારમાં મોંઘવારી રોકવા માટે સપ્લાય જરૂરી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતીય અધિકારીઓએ અમેરિકી પ્રશાસનને સ્પષ્ટ કરી દીધું હતું કે ગ્લોબલ માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે દેશની તેલ સપ્લાય જાળવી રાખવી સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. અધિકારીઓએ ચેતવણી પણ આપી હતી કે જો તેલના સપ્લાયમાં કોઈ અવરોધ આવે છે, તો તેની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડશે. આનાથી દેશમાં ડોમેસ્ટિક કુકિંગ ગેસ (LPG) જેવી જરૂરી ચીજોની અછત અને મોંઘવારી વધી શકે છે. જોકે, આ સમગ્ર મામલે ભારતના તેલ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને અમેરિકી ટ્રેઝરી વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી ન હતી. મે મહિનામાં રશિયાથી તેલની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી અમેરિકી છૂટની ડેડલાઇન પૂરી થાય તે પહેલાં ભારતીય રિફાઇનરી કંપનીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘણી ઝડપી કરી દીધી છે. ડેટા ઇન્ટેલિજન્સ એજન્સી કેપલરના આંકડા મુજબ, મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતની રશિયન તેલની આયાત રેકોર્ડ 23 લાખ બેરલ પ્રતિ દિવસના સ્તરે પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. વિશ્લેષકોનું અનુમાન છે કે સમગ્ર મે મહિનાની સરેરાશ આયાત પણ લગભગ 19 લાખ બેરલ પ્રતિ દિવસની આસપાસ રહેવાની છે. ભારત ઊર્જા જરૂરિયાતો માટે રશિયન તેલ ખરીદતું રહ્યું છે ગયા વર્ષે નવેમ્બરમાં યુક્રેન સાથેના યુદ્ધને કારણે ટ્રમ્પ પ્રશાસને રશિયન તેલ કંપનીઓ લુકોઇલ અને રોઝનેફ્ટ પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં ભારતની રશિયન તેલની આયાત ઘટીને 11 લાખ બેરલ પ્રતિ દિવસ રહી ગઈ હતી, જે નવેમ્બર 2022 પછી સૌથી ઓછી હતી. જો કે, ફેબ્રુઆરીમાં આ હિસ્સેદારી ફરીથી વધીને 30% સુધી પહોંચી ગઈ છે. ભારત સતત તેની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રાહત દરે રશિયન તેલ ખરીદતું રહ્યું છે. --------------------- આ સમાચાર પણ વાંચો… રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત: રિલાયન્સ-IOC એ બુકિંગ કર્યું, ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય બંધ થયા બાદ નિર્ણય ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ક્રૂડ ઓઈલનો સપ્લાય બંધ થયા પછી, ભારત લગભગ 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદશે. આ દાવો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓએ રશિયા સાથે તેલના કરાર કર્યા છે. હાલમાં, અમેરિકાએ સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના શિપમેન્ટ ખરીદવા માટે ભારતને 30 દિવસ (3 એપ્રિલ સુધી)ની છૂટ આપવાનો દાવો કર્યો હતો.
    Click here to Read more
    Prev Article
    IndiGo passengers left sweating in darkness for 30 minutes as power system fails on Vadodara-Delhi flight
    Next Article
    'आज ईरान पर हमला होने वाला था लेकिन...', ट्रंप के इस बयान पर ईरान ने ये कहा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment