Varanasi : અવિમુક્તેશ્વરાનંદના આશ્રમના મંદિરમાંથી આભૂષણ થયા ચોરી, 3 લોકોની પોલીસે કરી ધરપકડ
6 hours ago
ઉત્તર પ્રદેશના વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના વિદ્યા મઠ આશ્રમમાં આવેલા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાજુ ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.CCTVમાં એક યુવક આભૂષણ લઈને બહાર નીકળતો દેખાયો આ ઘટના 24 એપ્રિલની છે, જ્યારે વિદ્યા મઠ આશ્રમના શંકરાચાર્ય ઘાટ સ્થિત હનુમાન મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી થઈ હતી. મંદિર પ્રશાસને તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન મંદિર આસપાસના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં એક યુવક મંદિર પરિસરમાં ફરતો અને બાદમાં આભૂષણ લઈને બહાર નીકળતો દેખાયો હતો. ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરીને લંકા વિસ્તારના નરિયા-સાકેત નગરમાંથી રાજુ ખાનની ધરપકડ કરી હતી. પોલીસે આભૂષણો ખરીદનારની પણ ધરપકડ કરી તપાસમાં ખુલાસો થયો કે ચોરી કરાયેલા આભૂષણો તેણે બે લોકો ધ્રુવ કુમાર વર્મા અને સંતોષ વર્માને વેચી દીધા હતા. ત્યારબાદ પોલીસે આ બંને ખરીદદારોની પણ ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા આભૂષણો પણ જપ્ત કર્યા છે, જેની કિંમત લાખો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દીધા છે. આ મામલે એસીપીએ જણાવ્યું કે CCTV ફૂટેજ અને ટેક્નિકલ ઇનપુટ્સના આધારે સમગ્ર કેસનો ખુલાસો થયો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આટલી સુરક્ષિત જગ્યાએથી ચોરી કેવી રીતે થઈ અને ચોરાયેલા સામાનને સરળતાથી કેવી રીતે વેચવામાં આવ્યો. આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ
Click here to Read more