ટેક દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લઈને એક તરફ ઉત્સાહ જોવા મળે છે, તો બીજી તરફ આ ટેકનોલોજીના બદલામાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ચૂકવણીની ચર્ચાએ જોર પકડ્યું છે. એમેઝોન જેવી દિગ્ગજ કંપની આ સમયે એક વિચિત્ર અને તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એક બાજુ કંપની તેના ખર્ચમાં કાપ મૂકવાના બહાને લગભગ ૩૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરી રહી છે, તો બીજી બાજુ તે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ પાછળ અબજો ડોલરનું જંગી રોકાણ કરી રહી છે. કર્મચારીઓનો આંતરિક વિરોધ કંપનીના આ નિર્ણયો સામે હવે ખુદ એમેઝોનના કર્મચારીઓ જ અવાજ ઉઠાવી રહ્યા છે. યુએસએના સિએટલમાં એક સત્તાવાર સુનાવણી દરમિયાન, એમેઝોનના જ એન્જિનિયરોએ કંપનીની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. કર્મચારીઓનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે કંપની નવા AI ડેટા સેન્ટરો પાછળ ૨૦૦ અબજ ડોલર જેવી અધધ રકમ ખર્ચવાની તૈયારી કરી રહી હોય, ત્યારે કર્મચારીઓની નોકરી પર કાપ મૂકવો નૈતિક રીતે ખોટું છે. આ છટણી સમગ્ર કાર્યબળના આશરે ૮.૬% જેટલી મોટી સંખ્યા ધરાવે છે, જે કંપનીની આંતરિક સંસ્કૃતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. પર્યાવરણીય અને સામાજિક ચિંતા માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ આ ડેટા સેન્ટરો દ્વારા થતા વીજળીના વપરાશ અને સંસાધનોના બગાડ સામે પણ કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. એમેઝોન સિવાય માઇક્રોસોફ્ટ, ગૂગલ અને Nvidia જેવી કંપનીઓ પણ AI ની દોડમાં સામેલ છે. જોકે, આ સ્પર્ધામાં કર્મચારીઓના જીવન અને પર્યાવરણને જે રીતે અવગણવામાં આવી રહ્યા છે, તે એક ગંભીર મુદ્દો બની ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, AI પાછળ કરવામાં આવતું આ મોટું રોકાણ હજુ સુધી કોઈ મોટી આવકમાં ફેરવાઈ રહ્યું નથી, છતાં કંપનીઓ તેના ભવિષ્યના સપના માટે અત્યારના કર્મચારીઓને બલિનો બકરો બનાવી રહી છે.આ પણ વાંચોઃ Snake Myths: જમીન નીચે છુપાયેલા ખજાના પાસે સાપ કેમ નીકળે છે? તેનું રક્ષણ કરવાનું સત્ય શું?
Click here to Read more

