Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Hindu Saints Prediction: ભારતના મહાન સંતો જેમની ભવિષ્યવાણી પડી સાચી

    3 hours from now

    1

    0

     આ મહાપુરુષોએ પોતાની વાણી અને ગ્રંથો દ્વારા સમાજને આવનારા સમય માટે ચેતવણી પણ આપી અને માર્ગદર્શન પણ આપ્યું. ઘણીવાર તેમની રચનાઓ પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલી હોવાથી તેમને એટલી પ્રસિદ્ધિ મળી નથી જેટલી વિદેશી ભવિષ્યવક્તાઓ જેમ કે બાબા વેંગા અને નાસ્ત્રોદમસને મળી. જ્યારે ભારતીય સંતોની ભવિષ્યવાણીઓ વધુ સ્પષ્ટ અને સીધી માનવામાં આવે છે. આવો જાણીએ એવા મહાન સંતો અને તેમની મુખ્ય ભવિષ્યવાણીઓ વિશે.સંત જ્ઞાનેશ્વર મહારાજ13મી સદીના સંત જ્ઞાનેશ્વર મહારાજે પોતાની કૃતિ જ્ઞાનેશ્વરીમાં સમાજ અને ધર્મના ભવિષ્યની ઝાંખી આપી હતી. તેમની પ્રસિદ્ધ પ્રાર્થના પસાયદાનમાં એક આદર્શ સમાજની કલ્પના જોવા મળે છે, જ્યાં લોકોમાં જાગૃતિ અને સદાચારનો વિકાસ થશે. તેમણે એવો સમય આવવાની કલ્પના કરી હતી જ્યારે દુનિયામાં ફેલાયેલો અધર્મ ધીમે ધીમે સમાપ્ત થશે અને ધર્મનો પ્રકાશ ફરી ઝળહળી ઊઠશે. તેમના અનુસાર કળિયુગ કેટલો પણ કઠિન હોય, એક દિવસ માનવમાં સત્ય અને જાગૃતિનો ઉદય જરૂર થશે.સંત અચ્યુતાનંદ દાસ (ઓડિશા)ઓડિશાના પંચસખા સંતોમાં સામેલ અચ્યુતાનંદ દાસે ભવિષ્ય માલિકા નામના ગ્રંથમાં હજારો ભવિષ્યવાણીઓ લખી હતી. તેમણે મોટા યુદ્ધો, પ્રાકૃતિક પરિવર્તનો અને ધાર્મિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે એક સમય એવો આવશે જ્યારે જગન્નાથ મંદિર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે અને વિશ્વમાં પરિવર્તનોની ગતિ તેજ બનશે.સંત સૂરદાસભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત સંત સૂરદાસે પોતાની કૃતિઓ સૂરસાગર અને સૂરસારાવલીમાં કળિયુગના કઠિન સમયનું વર્ણન કર્યું છે. તેમણે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ જેવી કે દુષ્કાળ, મહામારી અને નૈતિક પતનની વાત કરી હતી. સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે કપરા સમય બાદ એક મહાન સંતનો જન્મ થશે, જે સમાજમાં ફરી શાંતિ અને ધર્મની સ્થાપના કરશે.વીરબ્રહ્મેન્દ્ર સ્વામી (આંધ્ર પ્રદેશ)તેમની ભવિષ્યવાણીઓ કાલજ્ઞાનમ નામના ગ્રંથમાં જોવા મળે છે. તેમણે ખૂબ પહેલાં જ આધુનિક શોધો વિશે સંકેતો આપ્યા હતા, જેમ કે બળદ વગર ચાલતા વાહનો (કાર), લોખંડના ઘોડા (ટ્રેન) અને માણસનું આકાશમાં ઉડવું (વિમાન). તેમણે મોટા યુદ્ધો અને મહામારીઓ વિશે પણ ચેતવણી આપી હતી, જેની ચર્ચા આજે પણ દક્ષિણ ભારતમાં થાય છે.ગુરુ ગોવિંદ સિંહજીસીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજી સાથે જોડાયેલા સૌ સાખી ગ્રંથમાં ભવિષ્યના અનેક સંકેતો મળે છે. આ ગ્રંથમાં કળિયુગના અંત, મોટા સંઘર્ષો અને ખાલસા શક્તિના પુનઃઉદય વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલીક માન્યતાઓ મુજબ તેમાં ભવિષ્યના યુદ્ધોના સંકેતો પણ આપવામાં આવ્યા છે.સંત દેવાયત (ગુજરાત-રાજસ્થાન વિસ્તાર)સંત દેવાયતને ત્રિકાળજ્ઞાની માનવામાં આવે છે. તેમની વાણીમાં ભવિષ્યના સમાજનું સ્પષ્ટ વર્ણન જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે ધર્મ માત્ર દેખાડો બની જશે અને સાચા સંતો તથા સાધુઓની સંખ્યા ઓછી થશે. આધુનિક ટેકનોલોજી તરફ સંકેત કરતાં તેમણે કહ્યું હતું કે હવામાં વાતો થશે એટલે કે સંચારના નવા સાધનો વિકસિત થશે.સંત માવજી મહારાજ (ગુજરાત)સંત માવજી મહારાજે પોતાના ગ્રંથોમાં ભવિષ્યની અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે તેમણે લાખો ભવિષ્યવાણીઓ લખી હતી, જેને ચોપડા તરીકે ઓળખવામાં આવે છે.આ ગ્રંથોમાં આધુનિક યુગની ટેકનોલોજી, મોટા યુદ્ધો અને સામાજિક પરિવર્તનોનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આ ચોપડાઓ વિશેષ પ્રસંગોએ જ દર્શન માટે બહાર લાવવામાં આવે છે.આ પણ વાંચો: Numerology: માતાની લાડલી હોય આ મૂળાંકની યુવતીઓ, કઇ કહ્યા વગર સમજી લે મનની વાત(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    FIFA World Cup 2026,Day 3 : આજે આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ
    Next Article
    शूटर जसपाल राणा का अंतिम संस्कार आज:आखिरी इच्छा पूरी करने वाराणसी आ रहे परिवार के लोग; CM योगी भी शामिल होंगे

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment