ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ
6 hours ago
Jharkhand Rajya Sabha Election 2026 : ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ રાજ્યસભા ચૂંટણી માટે લાતેહારના પૂર્વ ધારાસભ્ય બૈદ્યનાથ રામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય સાથે જ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ પૂરતો શાંત થતો દેખાઈ રહ્યો છે. હવે રાજ્યસભાની 2 બેઠકો પર કોંગ્રેસ અને JMMના એક-એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં સામસામે હશે. ગઠબંધન ધર્મને નિભાવતા JMMએ કોંગ્રેસ સાથે વધતી કડવાશ વચ્ચે એક ડગલું પાછળ ખેંચ્યું છે. JMMના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, બૈદ્યનાથ રામ પાર્ટીના મજબૂત અને સમર્પિત કાર્યકર્તા છે. આદિવાસી અને પછાત વર્ગના પ્રતિનિધિત્વને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
Click here to Read more
