Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Prince Yadavને લઈને સાચી સાબિત થઈ વિરાટ કોહલીની ભવિષ્યવાણી, વિજય હજારે ટ્રોફી દરમિયાન આપ્યો 'ગુરુ મંત્ર'

    2 weeks ago

    1

    0

    અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ODI ટીમમાં 24 વર્ષના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રિન્સ IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો. પ્રિન્સ યાદવે આ સિઝનમાં પોતાની ઉત્તમ બોલિંગથી પોતાનું નામ બનાવ્યું છે. આ સિઝનમાં પ્રિન્સે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો, જેના કારણે ખૂબ જ ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ પોતે તાજેતરમાં જ ફાસ્ટ બોલરની પ્રશંસા કરી હતી અને તેના વિશે એક ભવિષ્યવાણી કરી હતી. IPL પહેલા વિરાટે પ્રિન્સ યાદવને મદદ કરી હતી IPL પહેલા વિરાટ કોહલીએ પ્રિન્સ યાદવને મદદ કરી હતી. તેને સમજાવ્યું કે યોગ્ય લેન્થ પર બોલિંગ કરીને તે કેવી રીતે વધુ અસરકારક બની શકે છે. પ્રિન્સ સંમત થયા અને તેમની સલાહને ફોલો કરીને તેને ક્લીન બોલ્ડ કર્યો. વિરાટ કોહલીએ પોતે પ્રિન્સની બોલિંગની પ્રશંસા કરી. પ્રિન્સે આ સિઝનમાં પોતાની ગતિથી બધાને પ્રભાવિત કર્યા છે. તે IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી સફળ બોલર હતો. વિરાટ કોહલીએ પ્રિન્સ યાદવ વિશે શું કહ્યું? તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન વિરાટ કોહલીને પ્રિન્સ યાદવ વિશે પૂછવામાં આવ્યું. તેને જવાબ આપ્યો કે તેને મદદ કરવાનો કોઈ અફસોસ નથી. વિરાટ કોહલીએ કહ્યું કે "આજે, હું એવી સ્થિતિમાં છું કે જો કોઈ મને કંઈ પૂછશે, તો હું તેમને મદદ કરીશ. હા, પ્રિન્સે ખૂબ જ સારો બોલ ફેંક્યો, અને મેં તેને તે વિસ્તારોમાં બોલિંગ કરવાનું કહ્યું. તેમાં કંઈ ખોટું નથી. લોકો કહી રહ્યા છે કે વિરાટ કોહલીએ તેની વિકેટ આપી દીધી કારણ કે તે મારા પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે." વિજય હજારે દરમિયાન વિરાટ પ્રિન્સને મળ્યો હતો વિરાટ કોહલીએ આ ઈન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો કે તે પ્રિન્સને પહેલી વાર 2025-26 વિજય હજારે ટ્રોફી દરમિયાન મળ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે લોકો આ વાત જાણતા નથી. જ્યારે હું વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો હતો, ત્યારે હું પ્રિન્સને બિલકુલ ઓળખતો ન હતો. તે ખૂબ જ મજેદાર વ્યક્તિ છે. ઈશાંત શર્મા પણ ત્યાં હાજર હતો અને ઈશાંત પ્રિન્સને ઓળખતો હતો, તેથી હું તેની સાથે સારો મિત્ર બની ગયો. તે તેના વિચારો ખુલ્લેઆમ મારી સાથે શેર કરતો હતો. તેથી તે દિવસોમાં પણ વિજય હજારેની તે મેચો દરમિયાન, હું પ્રિન્સને કહેતો હતો કે શું કરવું અને ક્યાં બોલિંગ કરવી. અનુભવો શેર કરવાથી ભારતીય ક્રિકેટને ફાયદો થશે: વિરાટ કોહલી વિરાટ કોહલી માને છે કે યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવાથી આખરે સમગ્ર ભારતીય ક્રિકેટને ફાયદો થશે. તેમને કહ્યું કે તેઓ પ્રિન્સ યાદવ અને અન્ય યુવા ખેલાડીઓને સપોર્ટ આપે છે કારણ કે કોણ જાણે છે કે ભવિષ્યમાં તેમનામાંથી કોણ ભારત માટે રમી શકે છે. વિરાટની ભવિષ્યવાણી પ્રિન્સ માટે સાચી સાબિત થઈ, અને તેને હવે ભારતની ODI ટીમમાં સ્થાન મેળવ્યું છે. એ શક્ય છે કે તે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં વિરાટ સાથે ભારત માટે રમતો જોવા મળે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    Oslo Discord On 'Press Freedom' | India Fact Checks Propaganda | Does India Need To Prove Itself?
    Next Article
    विधायक रविंद्र भाटी ने खुद पर पेट्रोल छिड़का:बैग में रखकर साथ लाए थे बोतल; 5 घंटे प्रशासन से चली वार्ता नहीं बनी सहमति

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment